________________
ચિત્તની વિશેષ સ્થિરતા પછી કે નિર્વિકલ્પ દશા આવે રૂપાતીત ધ્યાનની ભૂમિકા હોય છે. જેમાં સિદ્ધ પરમાત્માનું આલંબન હોય છે. ધ્યાનાંતર સમયમાં સ્વરૂપ ચિંતન વિગેરે સાધના કરવી.
સ્વરૂપચિંતન : ચિત્તનો સ્વભાવ ચિંતન કરવાનો છે, પણ સ્વરૂપચિંતનનો અભ્યાસ ન હોવાથી તે પરરૂપનું ચિંતન કરે છે. પૂર્વના સંસ્કાર યોગે ચિત્ત જગતના પદાર્થો પ્રત્યે આકર્ષિત થઈ તે તે પદાર્થોનું ચિંતન સતત કર્યા જ કરે છે. તે પદાર્થોનું સ્વરૂપ અનિત્ય હોવાથી ચિત્ત સ્થિરતાને પામતું નથી. માટે નિત્ય એવા આત્મારૂપી પદાર્થ પ્રત્યે મનને રૂપાંતર કરી સ્થિર કરવાનું છે.
પ્રથમ ચિત્તને સંકેત આપવો કે “હું” શુદ્ધ છું, બુદ્ધ છું. નિરંજન નિરાકાર છું. આમ સ્થિર પદાર્થનું અવલંબન શ્રેષ્ઠ છે.
અથવા હું દેહ નથી, જગતના કોઈ પદાર્થો મારા નથી. ઈદ્રિયો કે મન હું નથી. અહમ્, મમત્વ મારો સ્વભાવ નથી. સ્ત્રી, પુત્ર, પરિવાર, ધન, ધાન્ય સંયોગી પદાર્થો છે. સંયોગનો સમય પૂરો થતાં આ સંબંધો પૂર્ણ થાય છે. નિશ્ચયથી હું તેમનો સ્વામી, કર્તા કે ભોક્તા નથી. આવી ભાવનાઓનું ચિંતન કરવું તે એક પ્રકારનું અવલંબન છે. જેમાંથી નિરાલંબન પ્રત્યે જવાય છે.
સ્વનિરીક્ષણઃ સ્વ-નિરીક્ષણ એ દોષોને જાણવા અને દૂર કરવા માટેનો તથા ગુણોને જાણવા અને તેને સમૃદ્ધ કરવા માટેનો ચિંતનરૂપે એક ઉત્તમ પ્રયોગાત્મક ઉપાય છે.
પરમાત્માના અને આત્મસ્વરૂપનાચિંતનરૂપ શુદ્ધ અવલંબન દ્વારા સાધકનું ચિત્ત તટસ્થ નિરીક્ષણ કરવા યોગ્ય થઈ જાય છે. તેથી વર્તમાનની દશા જેવી છે તેવી જાણી શકાય છે. તેમાં દોષ પ્રત્યે સ્વબચાવ અને ગુણ પ્રત્યે ગૌરવ પ્રાયે ઉત્પન્ન થતાં નથી. સ્વ-નિરીક્ષણની એ ખૂબ જ સાધકને નિર્દોષ, નિષ્કપટ અને સૌમ્ય થવામાં સહાયક થાય છે.
જો વર્તમાનમાં હું લોભી, કામી, કપટી, ક્રોધી, દ્વેષી, રાગી કે કોઈ પણ મલિન વૃત્તિવાળો હોઉં, અથવા પૂર્વગ્રહવાળો કે આવેશવાળો હોઉં તો દિનચર્યા એવા ભાવો વડે મલિનતા પામે છે, અને તેવી દશામાં સાધક શુદ્ધસ્વરૂપનું ધ્યાન કરવા જાય તો તેને ધ્યાનની અનુભૂતિ થઈ શકતી નથી.
૧૩૯