SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાણાયામ ઘણા પ્રકારના છે. સામાન્ય સાધકને આટલું પ્રયોજન પૂરતું થઈ પડશે. મનમાં ઊઠતા વિચારો અને શ્વાસને એક પ્રકારનો તાલબદ્ધ સૂક્ષ્મ સંબંધ છે, તેથી મનને લયબદ્ધ કરવા પૂરતો શ્વાસનો આધાર કેટલેક અંશે ઉપયોગી છે. ૦ મનની શાંતિ ઃ શ્વાસ સાથે કંઈક શાંત થયેલું મન હવે શાંતિથી બેસવામાં સહયોગ આપશે, છતાં વચમાં જે જે વિચારો આવે તેને જોવા અને શ્વાસની જેમ શાંતિથી પસાર થવા દેવા. વળી મનની ચંચળતા થાય ત્યારે તેને પુનઃ શ્વાસ સાથે જોડવું. જેથી મન સ્થિરતામાં આવશે. • મંત્ર-જપ કે દધ્વનિરૂપ અવલંબન : બીજું અવલંબન મંત્રાદિનું લઈ શકાય. મંત્રાલર ટૂંકા રાખવા. જેમ કે ૐ, સોહમ્ અર્હમ્ નમઃ વગેરે પોતાના ઈષ્ટમંત્રનો પ્રથમ પ્રગટ ઉચ્ચાર કરવો, તેની સાથે શ્વાસની તાલબદ્ધતા જાળવવી. જેમ કે ઊંડા શ્વાસ લીધા પછી ઓ.............સો................ના ઉચ્ચાર સાથે શ્વાસ ધીમે ધીમે ઊતરતો જશે અને નાભિકમળમાં સ્થિર થશે. આમ મંત્રના આરોહ અવરોહની એકલતા સાથે જપ કરવો. મનને મંત્રના ધ્વનિ સાથે જોડેલું રાખી શકાય. બે-ત્રણ મિનિટ આમ કર્યા પછી અપ્રગટ જપ કરવો. તે પછી જપના કેવળ રણકારને ધારણ કરી શાંત બેસવું. લાંબા સમયના અભ્યાસથી અજપાજાપ સાધ્ય થાય છે, જે શ્વાસની જેમ સહેજે થતો રહે છે. આને નાદઅનુપ્રેક્ષા કહી શકાય, તેનો અભ્યાસ દઢ થતાં અનાહત્ નાદ-વિના પ્રયાસે સહજ નાદ-સાધ્ય થાય છે. વળી મન ચંચળ થાય તો પુનઃ પ્રગટ મંત્રનો ઉચ્ચાર કરી મનને તેની સાથે જોડવા પ્રયત્ન કરવો. જપ એ પદસ્થ ધ્યાનનો એક પ્રકાર ગણાય છે. ભક્તિપદો ભક્તિનાં પદો દ્વારા સત્પુરુષોના ગુણોનું કીર્તન પ્રગટપણે ગુંજન કરીને કરવું. આવાં કીર્તનમાં ભાવને જોડવાથી મન શાંત થાય છે. આ પદસ્થધ્યાનનો એક પ્રકાર છે. દૃષ્ટિની સ્થિરતા-વાટકઃ ૐ, જ્યોત, બિંદુ કે બાલસૂર્ય જેવા આલંબન પર દષ્ટિને ભૂમિકા અનુસાર પાંચથી ત્રીસ મિનિટ સુધી સ્થિર કરવી. પ્રારંભમાં એકથી પાંચ મિનિટ ચક્ષુ અપલક રહેશે. ૧૩૭
SR No.005926
Book TitleDhyan Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherDeepakbhai & Dharmiben Shah USA
Publication Year2015
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy