SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિરતાનો અભ્યાસ થતો જશે અને ચિત્તમાં આનંદનો અનુભવ થશે. • ધ્યાન માટેના આલંબનના પ્રકારો પ્રાર્થના દ્વારા મનને શાંત કરવું હે પ્રભુ આનંદદાતા જ્ઞાન હમકો દીજીયે, શીઘ સારે દુર્ગુણોકો દૂર હમસે કીજીયે. લીજીયે હમકો શરણ મેં હમ સદાચારી બને, બ્રહ્મચારી ધર્મરક્ષક વીર વ્રતધારી બને. પ્રેમસે હમ ગુરુજનોંકી નિત્ય હી સેવા કરે, સત્ય બોલે ઝૂઠ ત્યાગે મેળ આપસમેં કરે. નિંદા કિસી કી હમ કિસીસે, ભૂલકર ભી ના કરે, દિવ્ય જીવન હો હમારા, તેરે ગુણ ગાયા કરે. અન્ય પદ લઈ શકાય ૦ શ્વાસઅનુપ્રેક્ષા કે દીર્ઘશ્વાસ? મનને પવનવેગી કહ્યું છે. તેથી યોગીઓ પ્રથમ પ્રાણાયામ વડે શ્વાસનો જય કરી મનોજય કરે છે. વાસ્તવિક રીતે મન આત્મજ્ઞાન વડે વશ થઈ શકે છે. પરંતુ પાત્ર થવા માટે તથા સ્થિરતા માટે બાહ્ય અવલંબનની પણ કંઈક આવશ્યકતા રહે છે. શ્વાસ એ તદ્ન નજીક શરીરમાં રહેલું પ્રાણતત્ત્વ છે. વળી શ્વાસ ઈદ્રિયાદિના વિષયો કરતાં નિર્દોષ છે. તે સહજપણે આવે છે અને જાય છે. દીર્ઘશ્વાસ કે શ્વાસઅનુપ્રેક્ષા તે, પ્રારંભિક અવલંબનરૂપ ઉપયોગી ક્રિયા છે. નાભિમાંથી ઊંડો શ્વાસ લેવો, તેને મસ્તકની મધ્યમાં સહસ્ત્રારચક્રમાં લઈ જવાનો ભાવ કરી પછી અતિ મંદ ગતિએ પાછો વાળી નાભિકમળમાં લાવવો. આમ પુનઃ પુનઃ શ્વાસપ્રશ્વાસ સાથે ચિત્તને સંલગ્ન રાખવું. શ્વાસનું નિરીક્ષણ કરવું, આમ પાંચથી પંદર વખત કરવું. જેથી, મન કે જે બહાર ભમતું હોય છે તે શ્વાસ સાથે જોડાઈને મર્યાદામાં આવશે. વળી વચમાં વિચારની સાથે મન દોડે ત્યારે પ્રયત્ન કરીને પુનઃ શ્વાસ સાથે તેને જોડવું અને શ્વાસના આવાગમનને નિહાળવું. ૧૩૬
SR No.005926
Book TitleDhyan Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherDeepakbhai & Dharmiben Shah USA
Publication Year2015
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy