________________
ગૃહસ્થને આવો અવકાશ ન હોય તો પોતાના નિવાસે શકય હોય તો નાની સરખી એક ઓરડીમાં મંદિર (પવિત્ર વાતાવરણ) જેવું આયોજન કરવું. તેમાં પરમાત્માનાં, સદ્ગુરુનાં, ૐ વગેરેનાં સુંદર અને સાદાં પ્રતિમા કે ચિત્રપટ રાખવાં, અને તેમની ભાવપૂર્વક સ્થાપના કરવી. આ જગ્યાએ ગ્રંથો, આસન, માળા જેવાં ઉપયોગી સાધન સિવાય કંઈ રાખવું નહિ. આ પવિત્ર સ્થાનમાં સંસાર-વ્યવહારની વાતો કરવી નહિ કે આહાર-પાણી ન લેવાં. ધ્યાન મૌન, સ્વાધ્યાય કે સત્સંગ પૂરતો જ તેનો ઉપયોગ મર્યાદિત રાખવો.
શકય હોય તો એ ખંડમાં લીલાં કે સફેદ પાથરણાં અને પડદા રાખવાં, જેથી ખંડમાં પ્રવેશ કરતાં સૌમ્ય અને શાંત વાતાવરણનો અનુભવ સહેજે થતો રહેશે. આ પછી આસનસ્થ થતાં ચિત્તની એકાગ્રતા સાધવામાં સરળતા રહેશે, આજુબાજુનું વાતાવરણ શાંતિમય હોય તો ઘણું સહાયક થશે. ધૂપ દીપ વડે વાતાવરણની શુદ્ધિ જાળવવી.
આવી શકયતા કે સગવડ ન હોય તો ઘરના એક ખૂણામાં શાંતિથી ચિત્રપટ સામે બેસી શકાય તેવું આયોજન કરવું. છેવટે અગાસી કે ખુલ્લી જગા પસંદ કરવી. તે પણ ન થઈ શકે તો આસપાસમાં કોઈ સત્સંગી મિત્રને ત્યાં કે જ્યાં ધ્યાનને યોગ્ય વાતાવરણ મળે ત્યાં નિયત સમયે આ ક્રમનો અભ્યાસ કરવો. ૦ આસન : બેસવા માટેનું આસન, ઋતુ પ્રમાણે સુતરાઉ કે ગરમ રાખવું. લીલો કે સફેદ રંગ પસંદ કરવો. પદ્માસન, સ્વસ્તિકાસન કે સિદ્ધાસન જેવાં આસનોમાં બેસી શકાય તેમ શરીરને કેળવવું. છેવટે સાદી પલાંઠી વાળીને, ધારેલા સમયે સ્થિરપણે બેસી શકાય તેવું સુખકર આસન પસંદ કરવું. કરોડનો ભાગ ટટ્ટાર, ડોક સીધી, પેટનો ભાગ અંદર, છાતી જરાક બહાર, શરીરને જરાય દબાણ કે ખેંચ ન પડે તેમ સ્થિર બેસવું.
પંચાંગ નમસ્કારથી શરીર હળવું બન્યું હશે. મૌનથી વાણીવિચાર શાંત થયાં હશે. હવે ચિત્તને સ્થિર કરવા માટે પ્રારંભમાં ચિત્રપટ જેવા કોઈ એક સાધનનું અવલંબન લેવું અને શક્ય તેટલો સમય એક જ આસનમાં સ્થિરતાથી બેસવું. આમ ત્રણે યોગની
૧૩૫