________________
પ્રારંભ થઈ શકે છે. તેમાં સ્ત્રી-પુરુષ, યુવાન-વૃદ્ધ, રંક-શ્રીમંત, સાધકસાધુ ઈત્યાદિ સર્વને માટે યથાપદવી સ્થાન છે. ૦ દૈનિક જીવનમાં ધ્યાનનો ઉપક્રમ
• સમય ઃ બ્રાહ્મમુહૂર્તમાં ૩ થી ૪-૩૦નો સમય શ્રેષ્ઠ છે. આ સમયે જેટલી સ્થિરતા હોય તેટલો ક્રમ લેવો. આ સમયે અત્યંત શાંતિ હોય છે. વાતાવરણમાં શુદ્ધતા હોવાથી ચિત્ત સ્થિરતામાં શુદ્ધિ અને એકાગ્રતા સહજ થઈ શકે છે. છતાં સાધકે ભૂમિકા પ્રમાણે સમયનું આયોજન કરવું. તેમાં નિયત સમય અને નિયત ક્રમ રાખવો. આટલો વહેલો અનુકૂળ ન હોય તો સવારે ૫ થી ૭ ની વચ્ચેનો અને સાંજે ૯ થી ૧૦ ની વચ્ચેનો સમય ગોઠવી લેવો. જેમ જેમ રુચિ વધે તેમ તેમ સમય વધારતા જવું.
આ માર્ગની સાધનામાં જીવન પૂર્ણ થાય તો પણ તે ન્યૂન છે. છતાં ગૃહસ્થ સાધકે નિત્ય એકથી ત્રણ કલાકનો સમય ફાળવવો.
બહેનો વહેલી સવારનો અને બપોરનો સમય ગોઠવી શકે. મન વ્યગ્ર રહે કે શાંતિ ન હોય તો બેસવાનો સમય ભારરૂપ લાગે છે. મનની સ્થિરતા રહે તેવો નિયત સમય ગોઠવવો. તે સમયે જાગ્રત રહેવું. પ્રમાદ અને સુસ્તી ત્યજવાં. ૦ દેહશુદ્ધિ અને હળવાપણું : દેહના બાહ્ય સાધન વડે આ પરમધ્યેય સાધ્ય કરવું છે, તેથી દેહની શુદ્ધિ માટે ગૃહસ્થ સ્નાન કરવું ઉચિત છે. છેવટે હાથ-પગ અને મુખની શુદ્ધિ કરી લેવી. વસ્ત્રો શુદ્ધ, ઢીલાં અને સફેદ રાખવાં. ધ્યાનમાં બેસતાં પહેલાં સુસ્તીથી મુક્ત થવા તથા શરીરની જડતા દૂર કરવા પાંચેક પંચાંગ નમસ્કાર કે સૂર્યનમસ્કાર અથવા હળવાં એક-બે આસનો કરવાં, જેથી દેહ શિથિલ થતાં ધ્યાનની મુદ્રામાં સ્થિરતા રહેશે.
સ્થળ : ધ્યાનના અભ્યાસનો આરંભ એકાંત સ્થળે, તીર્થ સ્થળે, ખુલ્લી જગામાં કે ઉદ્યાન જેવાં પવિત્ર સ્થળોમાં કરવો ઉત્તમ છે.
ગૃહસ્થ શકય તેટલા દિવસ (સાતથી એકવીસ દિવસ) નિવૃત્તિનો સમય લઈ અભ્યાસના વર્ગોમાં કે માર્ગદર્શકની નિશ્રામાં વરસમાં બે વાર જરૂર જવાનું રાખવું.
અથવા
૧૩૪