SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ યોગ્ય સામગ્રીની આવશ્યકતા રહે છે. લોટને બદલે કોઈ કુશ્કીના લાડુ બનાવે તો ગોળ અને ઘી બગડે, તેમ ધ્યાનમાર્ગમાં પ્રવેશ પામવો હોય, અને જો મન અશુદ્ધ, જીવન દંભી, વ્યવહાર અસમતોલ કે ચિત્ત ચંચળ હોય તો ધ્યાનનો યથાર્થ અભ્યાસ સંભવ નથી. અસંગતપણે કરેલો પરિશ્રમ કુશ્કીના લાડુ જેવો થાય છે. એક વાર આ માર્ગની જિજ્ઞાસા જાગે અને સાચી દિશામાં પ્રથમ કદમ ઊપડે તે પછી બીજાં કદમ ઉપાડવાં મુશ્કેલ નથી. આ માર્ગ જ એવો છે કે આત્માની સભાનતા થતાં યોગ્ય વાતાવરણ, માર્ગદર્શક, સત્સંગ કે સ...સંગ જેવાં સાધનો તેને આકર્ષી લે છે. એક વાર આત્મશક્તિનો નિર્ણય, સાચા સુખની અભિલાષા અને સત્પુરુષની શ્રદ્ધા થવી જોઈએ. પછી જેમ જેમ સાધક આગળ વધશે તેમ તેમ આત્મશક્તિ અનવરતપણે પ્રગટતી જશે અને સહેજે સહેજે ધ્યાનમાર્ગનું ક્રિમિક આરાધન થતું રહેશે. એ આરાધન જ જીવનનો પ્રાણ બની રહેશે. શરીરના પોષણ માટે જેમ આહારાદિનો નિત્યક્રમ હોય છે તેમ અંતરંગના, જીવનશુદ્ધિના કે પરિભ્રમણ સમાપ્તિના માર્ગે સાધનાનો ઉપક્રમ તે નિત્યક્રમ બની જવો જરૂરી છે. હવે આપણે પ્રયોગાત્મક ઉપક્રમની વિચારણા નિષ્ઠાપૂર્વક અને ઉમંગથી કરીએ. લેખનમાં તે લાંબી લાગશે પણ અહીં આપેલી કેટલીક વિગત સમજવા માટે જરૂરી છે. ક્રમનો પ્રારંભ થતાં જીવનમાં હળવાશ લાગશે અને આનંદની પ્રાપ્તિ થશે. એટલે જરા નિરાંત મળી કે ચિત્ત તે પ્રત્યે આકર્ષાયેલું રહેશે તેવો અનુભવ સાધકને થાય છે. અનુભવી સદ્ગુરુ કે માર્ગદર્શકથી પ્રેરણા પામી વિનયાન્વિત થઈ ઉમંગપૂર્વક શુભારંભ કરવો. સ્થળ વગેરે પણ પ્રેરણા મળે તેવાં પસંદ કરવાં. શ્રદ્ધાળુ આત્માઓ શુભકાર્યમાં પરમાત્માનું કે ઈષ્ટમંત્રનું સ્મરણ કરી કાર્યનો આરંભ કરે છે, તેમ આત્મકલ્યાણના આ માર્ગમાં પરમાત્માનું સ્મરણ કરી શુભારંભ કરવો. આ યાત્રામાં વયની મર્યાદા નથી, લિંગનો ભેદ નથી. જો કે યુવાવયમાં કરેલો પુરુષાર્થ શીધ્ર સાધ્ય બને છે, છતાં કોઈ પણ વયે ૧૩૩
SR No.005926
Book TitleDhyan Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherDeepakbhai & Dharmiben Shah USA
Publication Year2015
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy