________________
નીતિમાન હશે. - જીવનનિર્વાહનાં સાધનોમાં વૃત્તિસંક્ષેપી અને સંતોષી હશે. - કદાગ્રહથી, કુટેવોથી અને વ્યસનથી મુક્ત હશે. - આહારવિહારની ક્રિયાઓમાં જાગ્રત અને નિયમિત હશે. - વિષયોમાં અને કષાયોમાં મંદપરિણામી હશે. - આરંભ પરિગ્રહનો સંક્ષેપી હશે, તેની નિવૃત્તિનો અભિલાષી હશે. - દેહભાવ અને આત્મભાવને ભિન્ન જાણનારો ભેદજ્ઞાની હશે. - મૈત્રી, પ્રમોદ, કરુણા અને મધ્યસ્થભાવથી ભાવિત હશે.
આત્મા પ્રત્યે જાગૃતિ, જગત પ્રત્યે મૈત્રી અને પરમાત્મા પ્રત્યે પ્રીતિ રાખવાવાળો હશે. સત્સંગ અને સ્વાધ્યાયપ્રિય હશે. - એકાંતનો અને તીર્થપ્રવાસનો ઉદ્યમી હશે. - હિત, મિત અને અલ્પભાષી હશે. - ગુણવાન પ્રત્યે આદર-સન્માનવાળો હશે. - ગૃહસ્થને યોગ્ય દાન-દયાદિમાં પ્રવૃત્ત હશે. - પરિવાર સાથે સમતાભાવે વ્યવહાર કરતો હશે. - પ્રાણીમાત્ર પ્રત્યે અનુકંપાનો ભાવ રાખવા પ્રયત્નશીલ હશે. - મન, વચન અને કાયાની પ્રવૃત્તિઓમાં શુદ્ધિવાળો હશે. - સર્વજ્ઞ કથિત તત્ત્વોની શ્રદ્ધાવાળો હશે. - આત્માની ઉપાદેયતાની રુચિવાળો હશે. - અહમ્ અને મમત્વ પ્રત્યે ઉદાસીન હશે. - આત્મકલ્યાણનો અને મુક્તિનો અભિલાષી હશે.
સાધકનું જીવન આવા સદ્ગુણોથી સંપન્ન હશે, તો પછી ધ્યાનના અભ્યાસકાળમાં તેના ઘણા અંતરાયો સહેલાઈથી દૂર થઈ જશે. યદ્યપિ મુનિજનો ધ્યાનમાર્ગના સાચા અધિકારી છે. ૦ પ્રથમ કદમ સાચી દિશામાં ઉપાડવું
ઉપરનું કથન જોઈ કોઈને પ્રશ્ન થાય કે કદાચ મૂંઝવણ પણ થાય કે, આ તો કપરું કામ છે. જેમાં લાડુ બનાવવા ઘી, ગળપણ, લોટ ઈત્યાદિ સાધનસામગ્રીની જરૂર રહે છે તેમ દરેક કાર્ય સિદ્ધ થવા તેને
૧૩૨