SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૯િ. ધ્યાનપ્રવેશની ભૂમિકા - અભ્યાસ આ સ્વાધ્યાયમાં આપેલા જીવનશુદ્ધિના કે પરિવર્તનના નિયમોને ખૂબ ઉપયોગી જાણી ભૂમિકા અને ક્ષમતા પ્રમાણે અવશ્ય ગ્રહણ કરવા. નિયમથી મનનો સ્વછંદ રોકાય છે અને વાસનાઓ શમે છે, ત્યાર પછી સફળતા સહજ બને છે. પ્રસ્તુત ઉપક્રમમાં દર્શાવ્યા પ્રમાણેનાં કેટલાંક શુભચિહ્નો કે નિયમો, મુમુક્ષુ, જિજ્ઞાસુ કે સાધકમાં હોવાની ઘણી સંભાવના છે. તેથી તો આ વિકટ માર્ગની રુચિ ઉદ્દીપ્ત થઈ હોય છે. છતાં તેમાં વૃદ્ધિ કરવા અર્થે આ નિયમોને જીવનમાં સ્થાપિત કરવા તે આ માર્ગમાં જરૂરી છે. મનુષ્યજન્મ એ મનુષ્યત્વ, દેવત્વ અને છેવટે આત્મત્વ પ્રગટ કરવાના મહાન કાર્ય માટે છે. જ્ઞાનીપુરુષના આ કથનમાં પરિપૂર્ણ શ્રદ્ધા મૂકી સાધકે અનાદિની અસત શ્રૃંખલાને તોડીને આત્મત્વ પ્રગટ કરવા દેઢ પુરુષાર્થ કરવો. ધ્યાનમાર્ગના સાધક માટે આત્મસ્વરૂપનો નિર્ણય અને શ્રદ્ધા, પરમાત્મા પ્રત્યે પ્રીતિ અને ભક્તિ, સગુરુનું આજ્ઞાવર્તી જીવન, જગતના સંબંધો અને વ્યવહારોમાં સમતા અને મૈત્રીભાવ, આ અગત્યનાં અંગો છે. સવિશેષ વૈરાગ્ય એ ધ્યાનમાર્ગનું પ્રબળ સાધન છે. તત્ત્વનો યથાર્થ બોધ અને આત્મવિશુદ્ધિ તે સાધનાનો પાયો છે. વળી સવિચાર, સદાચાર, સાત્ત્વિકતા, સત્યપ્રિયતા અને સૌ પ્રત્યે સભાવ આ સઘળાં પ્રેરકબળો છે. જ્યારે અંતર્મુખતા, આત્મભાવના અને આધ્યાત્મરુચિ જેવા ભાવો તો ધ્યાનસાધનાના સાક્ષાત્ અંગરૂપ જ છે. જગતનાં પાર્થિવ સુખો પ્રત્યેથી યથાશક્તિ વિમુખતા તે સાધકનો ઔદાસીનભાવ છે-અનાસક્તિ છે, તે વડે ધ્યાનાભ્યાસનો સુખદ પ્રારંભ થાય છે અને સફળતા પણ પ્રાપ્ત થાય છે. જ્ઞાનીઓએ આ માર્ગ માટેની કેટલીક સીમાઓ આંકી છે તેનું યથાશક્તિ અને યથામતિ પાલન કરવું એ સાધક માટે જરૂરી છે. ૦ સાધકની મનોભૂમિકા-પાત્રતા - ધ્યાનમાર્ગનો સાધક સન્માર્ગને અનુસરનારો, સદાચારી અને ૧૩૧
SR No.005926
Book TitleDhyan Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherDeepakbhai & Dharmiben Shah USA
Publication Year2015
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy