SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ રહેતી હોવાથી સાધક-જ્ઞાનીનો સમગ્ર વ્યવહાર વ્યગ્રતારહિત, સમ્યક પ્રકારે સહજપણે થતો રહે છે. જ્ઞાન ધારાની ચોકી જ એવી રહે છે કે ઉપયોગની શુદ્ધતા ટકી રહે છે, એ જ ચિત્તની સ્થિરતા છે; અને એનો પ્રગાઢ અનુભવ એ ધ્યાનસમયની ચિત્તની નિષ્કપ દશા છે, અને એ જ્ઞાનીજનોના જ્ઞાનનો વિયષ છે. તેનું ચિંતન-મનન એ સાધકો માટે કલ્યાણકારી છે. ધ્યાનની ધન્ય પળો પહેલાં શું શું બને છે? તે જોઈએ: “હું આત્મા છું, સ્વ-સંવેદ્યરૂપ છું, દેહાદિથી ભિન્ન છું, હું જ્ઞાયક સ્વરૂપ છું, જ્ઞાનદર્શનમય છું” આવી એક પવિત્ર અંતરયાત્રાનો પ્રારંભ થાય છે. તે સમયથી પ્રપંચોનું આવરણ શમતું જાય છે. જગતના જીવો પ્રત્યે નિરપેક્ષ મૈત્રીભાવનો પ્રારંભ થાય છે. પરમાત્મા પ્રત્યે અનન્ય પ્રીતિ અને ભક્તિ દૃઢ થતી જાય છે. સ્વરૂપ પ્રત્યેની અભીપ્સા વધતી જાય છે. આથી સહેજે જગતના પદાર્થો પ્રત્યેની પ્રીતિસુખબુદ્ધિ વિરામ પામવા લાગે છે. આવા સર્વભાવો નિરંતર ટકી રહે એવી સભાનતા સહિત વ્યવહાર થાય છે. એવા પવિત્ર ભાવોમાં સ્કૂલના થાય તો સાધક એક પ્રકારની વેદના અનુભવે છે, અને નાની સરખી અસતુવૃત્તિ કે ક્ષતિથી એનો દેહ કંપી જાય છે. તે સ્કૂલના કે ક્ષતિ આંખના કણાની જેમ તેને ખૂંચે છે, તેથી તેને દૂર કરવા તરત જ પ્રયત્નશીલ રહે છે. ૧૩૦
SR No.005926
Book TitleDhyan Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherDeepakbhai & Dharmiben Shah USA
Publication Year2015
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy