SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ સૂચક છે. ચારે દિશામાં વરસતી વર્ષાનાં ટીપાં જયારે સરોવરમાં પડે છે ત્યારે અન્યત્ર નાળાંઓમાંથી તે વર્ષાનું જળ ચારે દિશામાંથી સરોવરમાં ભળે છે અને રાતોરાત સરોવર જળથી છલકાઈ જાય છે. તેમ ધ્યાનદશાની અનુભવની પળ પ્રગટે છે ત્યારે આત્માના પ્રદેશે પ્રદેશે તેનો આનંદ પ્રવાહિત થાય છે અને આત્મારૂપી અમૃતસરોવર સત્, ચિત્, આનંદરૂપી ગુણોથી છલકાઈ જાય છે. ધ્યાન, એ ચિત્તની નિષ્કપ દશા છે ચિત્તસ્થિરતા થયા પછી ધ્યાનમાર્ગમાં સંકલ્પ-વિકલ્પનો સહજ અંત થાય છે. સંકલ્પ-વિકલ્પ, કલ્પના કે પૂર્વ સંસ્કાર એ ભૂતકાળની સ્મૃતિમાંથી ઊઠતી એક પ્રકારની મનોદશા છે. તેમાં દીર્ઘકાલીન સંસ્કારો આ જન્મના સંસ્કારો, રૂઢિઓ, મિથ્યાગ્રહો, શુભાશુભભાવો વગેરેનું મિશ્રણ હોય છે. આવા મિશ્રિત ભાવો વગરની જે સદ્ભાવ કે મધ્યસ્થતા છે તે ચૈતન્યભાવ-પ્રજ્ઞા છે. જે સંકલ્પ આદિ કે વિચારોની શ્રૃંખલા સંયોગો પ્રમાણે બદલાયા કરે છે તે આત્મવિચારની શ્રેણિ નથી, તેમાં સંયોગો અને કાળ આદિના પરિબળને કારણે અબોધતા હોય છે. કેવળ વિચારોથી કે સંયોગોથી મપાય તે ‘સત્' નથી. સત્ એ શુદ્ધ અસ્તિત્વ છે. ધ્યાનની નિષ્કપ દશામાં તેનો અનુભવ થાય છે. સામાન્યતઃ સ્થૂળ ભૂમિકાએ આપણી અભિવ્યક્તિ વિચાર અને વાણી દ્વારા થાય છે, આ પ્રવૃત્તિઓનું ચાલકબળ જો સ્વાર્થ, મમત્વ, અહમ્ કે આકાંક્ષાઓ પર આધારિત હોય તો અભિવ્યક્તિ પણ તેવા પ્રકારે થાય છે. આત્મપ્રદેશોનું તેના સંયોગે કંપન થતાં બંધ-અનુબંધ થયા કરે .છે. જ્યાં સુધી આવી પ્રવૃત્તિઓ અને પ્રકૃતિઓનું શમન થાય નહિ ત્યાં સુધી સુખ-શાંતિના પ્રયત્નો નિરર્થક છે. ધ્યાનના અભ્યાસ વડે યથાર્થ પુરુષાર્થ થાય તો મનની ચંચળતા શાંત થાય છે અને દુષ્ટ પ્રવૃત્તિઓ છૂટતી જાય છે. આગળની ભૂમિકાએ ચિત્ત પ્રશાંત થતું જાય છે. ધ્યાનમાં ચિત્તની દશા નિષ્કપ રહે છે. ધ્યાનાંતર થયા પછી પણ જ્ઞાની જ્ઞાનની ઉપાસનામાં રત હોય છે. ધ્યાન અને જ્ઞાનરૂપ તે પરિણામોની અસર આત્મામાં સંવેદનરૂપે ૧૨૯
SR No.005926
Book TitleDhyan Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherDeepakbhai & Dharmiben Shah USA
Publication Year2015
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy