SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ તો અહિંસાદિ વ્રત ન હોય.” વળી કહ્યું કે જ્ઞાનીના જ્ઞાનનો વિચાર કરતાં પણ મહાનિર્જરા થાય એમાં સંશય નથી. જ્ઞાન બોલવાથી જ્ઞાન પ્રગટ થઈ જતું નથી. સત્ બોલવાથી સત્ સમજાતું નથી. આત્મા બોલવાથી આત્મા અનુભવમાં આવતો નથી. - સાકર બોલવાથી ગળપણનો સ્વાદ આવતો નથી. અગ્નિશબ્દથી વસ્તુને બાળી શકાતી નથી. જળ બોલવાથી તૃષા છીપતી નથી. લાડુની કલ્પનાથી ક્ષુધા શમતી નથી. સૂક્ષ્મ કે ભૂલ દરેક પદાર્થનો અનુભવ તે તેનું તત્ત્વ છે. સ્વાનુભવ તે આત્મતત્ત્વને પામવાનું રહસ્ય છે. સામાન્ય મનુષ્ય માટે ધ્યાન એ અપરિચિત માર્ગ છે, છતાં જેને આ માર્ગનું રહસ્ય પામવું છે તેને તેનું મૂલ્ય ચૂકવવું પડે છે. જીવનનું પરિવર્તન કરવું પડે છે. ધ્યાનમાર્ગના અભ્યાસથી પ્રગટેલું સામર્થ્ય આત્મતત્વની આડે આવતા અંતરાયો દૂર કરવાની ગુરુચાવી છે. અજ્ઞાન, કષાય અને કલેશજનિત પરિણામો અંતરાયો છે. મલિન મન એ અંધકાર છે અને આત્મા એ જ્ઞાનજ્યોત છે. જ્યાં સુધી મન મલિન છે, બહિર્ગામી છે, ત્યાં સુધી અંતરાત્માની શક્તિઓ અપ્રગટ રહે છે. મન મરે (શાંત થાય), કાયા ઠરે (સ્થિરતા પામે) વાચા શમે (મૌન) આમ ત્રણે યોગો શાંત થતાં ધ્યાન શું છે તે સમજાય છે. જ્યાં સુધી આપણી દુવૃત્તિઓ, વિકલ્પો કે વિચાર અજ્ઞાન જન્ય ભૂમિકામાં ઊઠતા રહે છે ત્યાં સુધી ચેતનાના પ્રદેશો ઉપર આવરણ આવે છે અને તે પ્રદેશો મનની ચંચળતા અનુસાર કંપતા રહે છે. એ કંપન તે બંધનનું કારણ છે. આવા ચંચળ મનને કોઈ વાજિંત્રોના અવાજ સાથે કે શ્વાસ જેવા અવાજરહિત આલંબન સાથે સંલગ્ન કરવાથી કંઈશ અંશે બાહ્યપણે સ્થિર કરી શકાય છે. વાસ્તવિક રીતે તેને પરાજિત કરવાનો સાચો ઉપાય એક આત્મજ્ઞાન છે. અમૃતનું એક ટીપું જીવન અર્પે છે. ટીપે ટીપે સરોવર ભરાય છે તે વાત સુવિદિત છે. તેનો અર્થ ઘણો ગંભીર અને ૧ ૨૮
SR No.005926
Book TitleDhyan Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherDeepakbhai & Dharmiben Shah USA
Publication Year2015
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy