________________
મને પ્રમાદરૂપી નબળાઈ વર્તાય છે.
જ્ઞાનીગુરુ તે સર્વેને એક જ રામબાણ ઉપાય દર્શાવે છે : “જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જહાં વિચાર, તે ભાવે શુભભાવના તે ઊતરે ભવપાર.'' - શ્રીમદ્ રાજચંદ્રરચિત પદ. ભવરોગ કે પરિભ્રમણના કારણભૂત ઈંદ્રિય-વિષયાદિ રોગો દૂર કરવાનો એક જ ઉપાય છે. તે વૈરાગ્ય જ્ઞાન-ધ્યાન. સર્વ રોગનું મૂળ અજ્ઞાન છે. તે ધ્યાન વડે નાશ પામે છે. ધ્યાનમાં જ્ઞાનસુધારસનો અર્ક છે. તે જ્યાં જ્યાં જે જે પ્રકારોના વિષયોનાં દર્દો છે તેનો નાશ કરે છે.
ધ્યાનના અનુભવની પળો અમૃતબિંદુ સમાન છે ધ્યાનની એક એક પળ અમૃતબિંદુ જેવી છે. એ પળનો અનુભવ કથન કે લેખનનો વિષય નથી. શુદ્ધ અસ્તિત્વના અનુભવની તે ઝલક માત્ર છે. તેને વિચાર કે વર્ણનની મર્યાદિત શક્તિથી સમજવાનો પ્રયત્ન કેમ થઈ શકે ? છતાં ધ્યાનમાર્ગના પ્રવાસીને નિર્વિચાર-નિર્વિકલ્પ ધ્યાનતત્ત્વની સમજ કથંચિત્ આવશ્યક છે. સાધકે આ વાત પ્રથમ જ સમજી લેવી કે સમ્યક્ સમજ કે ચિત્તની નિર્દોષતા વગર ધ્યાન એ કલ્પના માત્ર છે, અથવા ધ્યાનક્રિયાના જનસમૂહના પ્રવાહમાંથી ઉત્પન્ન થતું કૂતુહલ છે. તે માટે ધ્યાનદશાના અમૃતતત્ત્વનું રહસ્ય ગંભીરતાપૂર્વક સમજી લેવું જરૂરી છે.
સંસારની વાસનાઓથી ચિત્તસંક્રાંત હોય અને વિવિધ પદાર્થોમાં સુખબુદ્ધિ વર્તતી હોય ત્યાં સુધી આ માર્ગની જિજ્ઞાસા થવી જ દુર્લભ છે. કદાચ ગતાનુગતિ જિજ્ઞાસા જાગે અને જો ભળતાં કે કાલ્પનિક સ્થાનોનો સંયોગ થાય તોપણ ધ્યાનમાર્ગની સાચી ભૂમિકાની ઉપલબ્ધિ થવા સંભવ નથી. જ્ઞાની પાસે જ ધ્યાનમાર્ગની યથાર્થ ઉપલબ્ધિ સંભવ છે. જ્ઞાનીની યથાર્થ ઓળખ શ્રીમદ્ રાજચંદ્રજીએ આપી છે. “આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ,
અપૂર્વ વાણી પરમશ્રૃત સદ્ગુરુ લક્ષણ યોગ્ય.’ આત્મસિદ્ધિ-શાસ્ત્ર ગાથા. ૧૦. ‘સમદર્શિતા હોય તો અહિંસાદિ વ્રત હોય. સમદર્શિતા ન હોય
-
૧૨૭