________________
વીજળીનો ચમકારો આંખના પલકાર જેવો હોય છે. તેવી પળમાં મોતી પરોવવા માટે સમગ્ર ધ્યાન પ્રકાશ, છિદ્ર અને દોરામાં લીન થઈ જાય છે ત્યારે મોતી પરોવી શકાય છે. તેમ ધ્યાનની એક ધન્ય પળે, મન, વચન, કાયાની પ્રવૃત્તિઓ અતિશય શાંત થઈ જાય છે, ત્યારે ધ્યાનદશામાં ઉપયોગ સ્થિરતા પામે છે. આત્મબોધ વડે વિંધાયેલું મન અનંતકાળની અસત્ વાસનાઓને ત્યજી આત્મામાં પરોવાઈ જાય છે, અર્થાત્ આત્મજ્ઞાન વડે સ્થિરતા પામે છે. ધ્યાનદશાનું અનુભવરૂપી સંવેદન જ મનના સૂક્ષ્મ દોષોને મહદ્ અંશે દૂર કરી નાખે છે. ધ્યાનરૂપ અગ્નિનું આવું રહસ્ય છે.
ધ્યાન, એ ભવરોગને દૂર કરવાનો રામબાણ ઈલાજ છે વૈજ્ઞાનિક યુગના તબીબી વિજ્ઞાને એવી ઔષધિઓનું સંશોધન કર્યું છે કે તેના ચાહકો તે તે ઔષધિઓને રામબાણ ઈલાજ માને છે અને મનાવે છે.
દા.ત. તબીબ પાસે જઈને કોઈ એક દર્દી કહે છે કે મને શિરદર્દ છે, બીજો કહે છે કે મને કમરમાં દર્દ છે, ત્રીજો કહે છે કે મને પગમાં દર્દ છે, ચોથો કહે છે કે મને વાંસામાં દર્દ છે અને પાંચમો કહે છે કે મારા કાનમાં દર્દ છે. દરેકને દર્દ દુખાવાનું છે. અંગો અલગ અલગ છે. તબીબ દરેક દર્દીને નોવાલિજન કે ડિસ્ક્રિન જેવી સરખી ટીકડીઓ આપે છે અને દર્દ પ્રમાણે કેટલીક સૂચના આપે છે.
તબીબની સૂચના પ્રમાણે દર્દી ટીકડીનું સેવન કરે છે. ટીકડીનું રસાયણ હોજરીમાં અન્ય રસો સાથે ઓગળીને દેહમાં રુધિર સાથે ભળે છે અને જ્યાં દર્દ હોય ત્યાં તેના અંગને અસર થતાં દર્દ શાંત થાય છે. વળી તબીબની સૂચનાનો દર્દી અમલ કરે છે અને રોગમુક્ત થાય છે. દેહમાં થતી રાસાયણિક પ્રક્રિયાનું આ સ્થૂલ દૃષ્ટાંત છે.
જે સાધકોને ભવરોગનું દર્દ પીડે છે, અને પરિભ્રમણનું સ્વરૂપ સમજાયું છે તેઓ જ્ઞાની સદ્ગુરુ પાસે જાય છે. એક સાધક કહે છે કે મને ઈદ્રિયવિષયો પીડે છે. બીજો કહે છે કે, મને ક્રોધાદિ કષાયો પીડે છે. ત્રીજો કહે છે કે, હું અજ્ઞાનરૂપી અંધાપાથી પિડાઉં છું. ચોથો કહે છે કે, મને અબોધતારૂપી બધિરતાનો રોગ છે. પાંચમો કહે છે
૧૨૬