________________
પ્રેરકબળોના સંચરણથી આત્મભાવની વિશુદ્ધિ થતી રહે છે. તે પછી ધ્યાનનાં અવલંબનો દ્વારા શુદ્ધ અવસ્થાની અનુભૂતિ થાય છે.
ધ્યાનના અભ્યાસ સમયે નિર્વિકલ્પ પળોની આંશિક અનુભવની દશામાં પણ, જો સત્તામાં રહેલાં કોઈ કર્મોને નિમિત્ત મળી જાય તો સાધકને કવચિત અંતરાય આવી જાય છે અને સાધકની સ્થિરતા ખંડિત થઈ જાય છે. સત્તામાં રહેલા આ દુર્ભાવો અંતરાય ન કરી જાય તે માટે નિર્મળ જળને જેમ અન્ય પાત્રમાં તારવી લીધું તેમ ધ્યાનનો અભ્યાસી અલ્પાધિક થયેલી ચિત્તશુદ્ધિનાં પરિણામોને શુદ્ધ અવલંબનોમાં સંલગ્ન રાખવા પ્રયત્નશીલ રહે છે. વળી વ્યાવહારિક પ્રસંગોમાં ચિત્ત દુર્ભાવોમાં ખેંચાઈ ન જાય તે માટે સાધક અંતરંગ જાગૃતિ અને સમતા રાખે છે.
આમ આત્માની શુદ્ધ અવસ્થામય જ્ઞાનધારાનો પ્રવાહ વહેતો રહે છે. ધ્યાનમાર્ગની સાધનાનું ધ્યેય એ છે કે, આત્માની શુદ્ધ અવસ્થા પર અંક્તિ થયેલા દુર્ભાવોને નષ્ટ કરી સત્તાગત રહેલા શુદ્ધતત્ત્વને પ્રગટ કરવાનું છે. આ જન્મમાં તેનો સુસંસ્કાર દેઢ કરવાથી ઉત્તરોત્તર ઊર્ધ્વશ્રેણિ દ્વારા આત્માનું શુદ્ધ સ્વરૂપે પ્રગટતું જાય છે. જ્ઞાનીઓનું કથન છે કે ધ્યાનમાર્ગ દ્વારા આ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ સંભવ છે. યદ્યપિ જયાં સુધી જીવ આ માર્ગમાં સ્થિર ન થાય ત્યાં સુધી તેણે સદ્ગુરુનું સાન્નિધ્ય રાખવું જરૂરી છે. • ધ્યાન, એ ચોગ-ઉપયોગની સ્થિરતા છે
અહીં યોગ અર્થાત્ મન, વચન અને કાયાની પ્રવૃત્તિઓ અને ઉપયોગ એટલે આત્માના પરિણામ-ભાવ.
મન, વચન અને કાયાના બહિર્મુખ વ્યાપાર કે પ્રવૃત્તિઓ દ્વારા દેહ-પ્રમાણ વ્યાપ્ત આત્મ-પ્રદેશોમાં કંપન થાય છે; અને તે કર્મબંધનનું એક કારણ છે. સૃષ્ટિમંડળની રચના જ એવી છે કે આત્માના શુભાશુભ વિચાર કે પરિણામની ધારા અનુસાર કર્મબંધન થયા કરે છે. આ વિચાર કે પરિણામધારા તે ઉપયોગ” છે. આમ યોગ અને ઉપયોગની તન્મયતાની ઊપજ તે કર્મધારા છે. કર્મધારા પલટીને જ્ઞાનધારારૂપે પ્રગટ થાય છે ત્યારે યોગ-ઉપયોગની બાહ્ય પ્રવૃત્તિઓના વિસ્તાર
૧ ૨૪