________________
મોહનું સ્વરૂપ છે. સ્વપ્નમાં જાણેલા પેટના દર્દને જાગ્રત થયા પછી દૂર કરવા કોઈ પ્રયત્ન કરતું નથી, તેમ ધ્યાનસાધક-યોગીમુનિ સૌને સંસારથી પલટાતી પદાર્થોની અવસ્થાઓ સ્વપ્નવતુ જણાય છે; તેથી તેનાથી મુક્ત થવા તેઓ ધ્યાન દ્વારા શાંતિ અને સુખના માર્ગને ગ્રહણ કરે છે.
ધ્યાનમાર્ગની પ્રાથમિક યોગ્યતા કેળવવામાં થોડી કઠિનાઈ લાગે છે. પરંતુ જ્યાં તેનો આંશિક અનુભવ થયો કે આત્મા પુલક્તિ થઈ તે માર્ગનો પરમ ઉપાસક થઈ જાય છે અને આ માર્ગે પરમશાંતિ અને સુખ નિઃશંક પામે છે.
જગતમાં પ્રાણીમાત્ર સૂક્ષ્મજંતુ કે વનસ્પતિથી માંડીને, પશુપંખી મનુષ્યાદિ સર્વ જીવો સુખ ઈચ્છે છે. સામાન્યતઃ સૌ દૈહિક સુખની ચેષ્ટા સુધી પહોંચે છે. સમ્યફ વિચારવાનને સાચા સુખનો વિચાર ઉદ્ભવે છે, કોઈ વિરલા જીવ તેવા સુખની પ્રાપ્તિ માટે ઉદ્યમી થાય છે. તેને માટે ધ્યાન સહજ સુખદાતા છે. શુદ્ધતાની પરંપરાએ ધ્યાન દ્વારા અવ્યાબાધ સુખની પ્રાપ્તિ થાય છે. ૦ ધ્યાન, એ આત્માની શુદ્ધ અવસ્થા છે
આત્મા શક્તિ-અપેક્ષાએ શુદ્ધ છે. અપધ્યાનમાં અર્થાત્ દુર્ગાનમાં તેની અવસ્થા અશુદ્ધ હોય છે. ધ્યાનમાં શુદ્ધ અવસ્થા રૂપે આત્માનો અનુભવ થઈ જાય છે. એક પાત્રમાં ડહોળાયેલું જળ છે. તે પાત્રને સ્થિર રાખી મૂકીએ તો કચરો નીચે ઠરી જાય છે અને નિર્મળ જળ ઉપર તરી આવે છે. કતકફળ દ્વારા કે તે પાણીને બીજા પાત્રમાં સાવધાનીથી કાઢી લઈએ તો તે નિર્મળ થયેલું જળ ઉપયોગમાં આવે છે. પાત્રો હલાવ્યા કરીએ તો પાણી પાછું ડહોળાઈ જાય છે.
આત્માની વર્તમાન અવસ્થા ડહોળાયેલા પાણી જેવી થઈ ગઈ છે. મલિન ચિત્ત સાથે જોડાયેલા આત્માના ઉપયોગને બાહ્ય જગતના સ્થૂલ વિષયો પ્રત્યેથી પાછો વાળવો. આમ, વિષયો પ્રત્યેથી પાછો વળેલો કે તારવેલો ઉપયોગ અંતર્મુખ થવાથી ચિત્તની સ્થિરતા થાય છે. તે ચિત્તની સ્થિરતાની આત્માની નિર્મળતાનો અનુભવ થાય છે. નિવૃત્તિ, સત્સંગ, ભક્તિ, સ્વાધ્યાય, મૌન જેવાં સહાયક અને
૧ ૨ ૩