________________
વર્તે છે. ધ્યાનના રાજમાર્ગ પર આરૂઢ થયેલા પ્રારંભની ભૂમિકાના અધિકૃત સાધકને આત્મિક સમતાના, સુખના, આનંદના અને સમાધાનના અલ્પ અંશો અનુભવમાં આવી શકે છે. તે પછી તેને જગતનાં કર્મ કે ધર્મક્ષેત્રે કશું થવાની, બનવાની, વાસનાઓ શમી જાય છે. સ્પર્ધા, આડંબર, તુલના, માન, મોટાઈ જેવાં કંકોમાંથી તે મહદઅંશે મુક્ત થતો જાય છે અને તે અંતરંગ ઐશ્વર્યને માણે છે. આવું મુક્તપણે ધ્યાનમાર્ગના અભ્યાસ વડે પ્રાપ્ત થાય છે. વળી આગળના વિકાસક્રમે તેનું સાચું રહસ્ય સમજમાં આવતું જાય છે. મહાજનો જે માર્ગે ગયા તે માર્ગ પ્રમાણ ગણાય છે, તેથી સાચું જ કહ્યું છે કે, “મહાજનો યેન ગતઃ સ પત્થાઃ”. • ધ્યાન, પરમ સુખએ અને શાંતિદાતા છે
સામાન્ય મનુષ્યોની જીવનચર્યા ઈદ્રિયો અને મનના માધ્યમ વડે થાય છે. તેમાં પ્રાપ્ત થયેલ સંયોગ-વિયોગમાં સૌ સુખ-દુઃખની લાગણીઓ અનુભવે છે પરંતુ આપણે જ્યારે નિદ્રાને આધીન થઈએ છીએ ત્યારે સ્કૂલ મન ઈદ્રિયોના વિષયોમાંથી મુક્ત થઈ શાંત બને છે, અને એથી આપણે નિદ્રાનું સુખ લઈ શકીએ છીએ. ઈદ્રિય-વિષયોની તન્મયતાનો અભાવ મનને શાંત કરે છે. આંખ રૂપને જોતી રહે, કાનથી શ્રવણ થતું જ રહે કે કોઈ પણ ઈદ્રિયો વિષયોમાં તીવ્રપણે તદાકાર રહે તો આપણને સુખેથી નિદ્રા આવતી નથી. બાહ્ય પદાર્થો સાથેની તદાકારતા શમે ત્યારે આપણને નિદ્રાનું સુખ પ્રાપ્ત થાય છે. તેમ ધ્યાનદશામાં મનાદિ વ્યાપાર શાંત થતાં શાંતિનો અનુભવ થાય છે.
યોગીઓ જાગૃતિમાં કે નિદ્રામાં ઈન્દ્રિયજન્ય વિષયોમાં તન્મય હોતા નથી. તેથી તેઓ સંયોગિક સુખદુઃખાદિનાં ઢંઢોથી મુક્ત આત્માની પરમશાંતિ અને સુખ અનુભવે છે. અલ્પ સમય માટે નિદ્રા લે, તોપણ તેઓ જાગ્રત હોય છે. આમ આત્મજ્ઞાની, ધ્યાનના રહસ્યને પ્રાપ્ત કરી પરમશાંતિ અને સુખને પ્રાપ્ત કરે છે. ધ્યાનદશાની અલ્પ પળોમાં પણ સાધકને સુખ-શાંતિ આપવાનું સામર્થ્ય રહેલું છે.
જગતના ક્ષણજીવી પદાર્થોમાં સુખ-પ્રાપ્તિનો પ્રયત્ન કરવો કે દુઃખ-નિવૃત્તિ માટે પણ જગતના જ પદાર્થોને કાર્યકારી ગણવા તે
૧૨૨