________________
૮. ધ્યાનનું રહસ્ય
ધ્યાન, એ અંતરાયરહિત મોક્ષનો રાજમાર્ગ છે. ધ્યાન, એ પરમસુખ અને શાંતિદાતા છે. ધ્યાન, એ આત્માની શુદ્ધ અવસ્થા છે. ધ્યાન, એ યોગ-ઉપયોગની સ્થિરતા છે. ધ્યાન, એ શુદ્ધ ચેતનાની અનુભૂતિ છે. ધ્યાન, એ ભવરોગને દૂર કરવાનો રામબાણ ઈલાજ છે. ધ્યાનના અનુભવની પળ અમૃતબિંદુ સમાન છે. ધ્યાન, એ ચિત્તની નિષ્કપ દશા છે.
ધ્યાન, એ અંતરાયરહિત મોક્ષનો રાજમાર્ગ છે
જ્યારે કોઈ મહાનગરના રાજમાર્ગને જોઈએ ત્યારે સમજાય છે કે, રાજા કે માનવંતા મહાજનોનાં વાહનો જે માર્ગે આવે છે અને જાય છે તે માર્ગ કાંટા, કાંકરા, ખાડા, ટેકરા વગેરે અવરોધોથી રહિત હોય છે, અને તે રાજમાર્ગ કહેવાય છે. તેના પર વાહનો શીઘ્રતાથી અંતરાય વગર પસાર થાય છે, તેમ સંતો, મુનિઓ, પ્રજ્ઞાવંત સાધકો માટે ધ્યાનમાર્ગ' એ અંતરાયરહિત રાજમાર્ગ ગણાય છે.
જો કે મહાનગરના રાજમાર્ગે જતાં પહેલાં ઘણી ગલીગૂંચીઓ વટાવવી પડે છે, તેમ ધ્યાનમાર્ગમાં પ્રવેશ થતાં પહેલાં પૂર્વનાં સંસ્કારબળો, અસત્ વાસનાઓ, મનની ચંચળતા વગેરે અંતરાયો આડે આવે છે. જો એક વાર ધ્યાનમાર્ગમાં પ્રવેશ થઈ જાય તો પછી જગતના પાર્થિવ સુખદુઃખાદિની લાગણીઓ, તનાવ, દબાવ, વિષયોનું આકર્ષણ, દેહભાવ, અહમ્ કે મમત્વ જેવા અવરોધો ઘટતા જાય છે કે દૂર થતા જાય છે. તે પછી આગળની ભૂમિકાએ સાધક શીઘ્રતાથી ઉલ્લાસપૂર્વક આગળ વધે છે. આ આરાધનાના સમયમાં તેનું જીવન પૂર્ણપણે સંવાદિત બની જાય છે.
ધ્યાનમાર્ગે અધિષ્ઠિત થયેલા સંતોને, યોગીઓને કે મુનિજનોને પોતાના અંતરંગ ઐશ્વર્યનું, તપાદિ સંયમનું અને સમભાવનું સુખ
૧
૨ ૧