________________
શ્રવણ, મનન, નિદિધ્યાસન દ્વારા સાધક, જેમ જેમ દૈહિક વાસનાથી વિરક્ત થતો જાય છે તેમ તેમ આત્મગુણશ્રેણીએ ચઢતો જાય છે. એવી આત્મવિશુદ્ધિના પરિપકવ કાળે સ્વયં જે શક્તિ ઊમટે છે તે કુંડલિનીની સહજ જાગૃતિ છે. સાધકને પોતાને તેનો કંઈ ખાસ ખ્યાલ પણ નથી હોતો. ત્યાં જીવન પ્રસન્ન, સરળ, સમભાવ અને અનાસક્તભાવે નિર્બોજપણે જિવાય છે તે તેની પ્રતીતિ છે.
ચેતના શક્તિ જાગે છે ત્યારે સાધક સૂક્ષ્મ બોધ અને વિચારણાનો અધિકારી થાય છે. અને તેની ક્રિયાઓ સુવ્યવસ્થિત થતી જાય છે. ભાવિ ઘટનાઓનું અનુમાન કે સંકેત મળે છે. કાર્યો શુભયોગે પાર પડે છે. વિષમ કે ચિંતાજનક પ્રસંગોમાં ધર્યવાન થઈ સમાધાન મેળવે છે. યોગ્યાયોગ્યનો વિવેક ત્વરાથી પામે છે. અજ્ઞાનવશ કે પરાધીનપણે જીવનવ્યવહાર કે સંબંધોમાં વર્તવાનું થતું નથી. સબુદ્ધિની તીક્ષ્ણતા પ્રજ્ઞારૂપે કાર્ય કરી સંસારના સ્વરૂપને નિહાળી તટસ્થભાવે વર્તે છે. આવી અનેક પ્રકારની ગુણરાશિ ઊમટે છે.
વળી દૈહિક ચમત્કૃતિઓનો અનુભવ થાય છે, ત્યાં સાધકે અટકી ન જવું. તેનું અવલોકન કરી, મુક્ત થઈ આગળ વધવું. દેહ બાહ્ય સાધન છે. આત્મા સાધ્ય છે, માર્ગ સાધના છે. સાધન અને સાધના સહાયક તત્ત્વો છે તેને ગૌણ કરી સાધ્યને સિદ્ધ કરવું જરૂરી છે. યોગાભ્યાસનું એ પ્રયોજન છે. • ગૃહસ્થ સાધકને માટે યોગાભ્યાસનું ઔચિત્ય :
અષ્ટાંગયોગના વિવિધ પ્રકારો જોઈને ગૃહસ્થ સાધકને કદાચિત્ તેના પ્રારંભમાં કઠિનતા લાગવા સંભવ છે, આમાં સંસારી જીવનની વ્યવસ્તા, શક્તિઓની કેટલીક મર્યાદા અને અનાભ્યાસ ઈત્યાદિ કારણો છે. પરંતુ ધ્યાનમાર્ગમાં પ્રવેશ કરવાની જિજ્ઞાસુએ હળવા મનથી હળવો પ્રયત્ન કરવો. જેમ જેમ તેમાં સફળતા મળશે તેમ તેમ ઉત્સાહ વધશે.
સામાન્ય સાધક જે આ માર્ગનો યાત્રી થયો છે, તે અહિંસાદિ પાંચ આચારનું યથાશક્તિ પાલન કરતો હોય છે, અને વ્રતાદિના સંયમ વડે તેને સંતોષ જેવા ગુણો સંપાદન થયા હોય છે, તેની પ્રભુ પ્રત્યેની ભક્તિની પ્રીતિ જાગ્રત થાય તે સ્વાભાવિક છે. આ બે અંગોનું આ પ્રકારે
૧૧૯