________________
સત્તર વર્ષની યુવાવયના પ્રારંભમાં જ દેહભાવથી ઉપર ઊઠી ગયા હતા, એ વાત લોકપ્રસિદ્ધ છે. કેવળ ‘હું કોણ’ એવા અંતરના અવાજે આત્માને જાગ્રત-જાગ્રત કરી દીધો. એ અવાજ કોઈ કારણથી, પ્રલોભનથી કે સમાજ-કુટુંબના બંધનથી પ્રતિબંધિત ન થયો. અવાજ ઊઠયો કે તત્ક્ષણ તેના વિચારમાં ઊંડા ઊતરી ગયા કે ‘હું કોણ ?’ અને આ દેહ શું ? અને દેહને શબવત્ સાક્ષીભાવે જોઈ રહ્યા. કોઈ તેને ફેંકી દે તે પહેલાં પોતે જ તેને માનવચેતનામાં ફેંકી દીધો; અને તેમનો સંસાર સ્વપ્નવત્ થઈ ગયો. તેઓ સ્વયં સ્ફુરણા સહિત પરમાત્માને સહારે એકાકી ચાલી નીકળ્યા. સત્તત્વ-આત્મતત્ત્વ એવું સઘન, શુદ્ધ અને સૂક્ષ્મ છે કે પૂરેપૂરું કસોટીમાંથી પસાર થાય, પૂર્ણપણે સમર્પિત થવા તત્પર થાય ત્યારે પરમાત્મા તેને સ્વીકારે છે અને પોતે જ પરમતત્ત્વને પામે છે. આ માર્ગની સહજ વ્યવસ્થા જ એવી છે.
શ્રી રમણ મહર્ષિ અરૂણાચલમ ગયા, ત્યાં મંદિરના ઓટલે દિવસો સુધી નિર્વસ્ત્ર, નિરાહારીપણે પ્રભુભાવમાં ખોવાયેલા રહ્યા. અણસમજું બાળકોએ પાગલ ગણી તેમના પર મળમૂત્ર ફેંકયાં, પથ્થર માર્યા અને જીવ-જંતુઓએ ફોલ્યા, છતાં તેમનું દેહ પ્રત્યે લક્ષ ગયું નહિ. કારણ કે દેહને તો તેઓ ફૂંકીને જ ઘરેથી નીકળ્યા હતા. હવે જે બચ્યું હતું તે આત્મભાવ અને પરમાત્મભક્તિ હતાં. છતાં આવા ઉપસર્ગ તો ઘણા થયા. તેઓ સર્વ કસોટી પાર કરી અંતે મહર્ષિપણે પ્રગટ થઈ ગયા. આ યુગના આવા મહાન યોગી પુરુષોનાં જીવનચરિત્રોથી પૂર્વના આરાધનનું રહસ્ય સમજાય છે.
યોગસાધના દિવ્ય જીવન જીવવાની એક કળા છે ઃ યોગાભ્યાસ વડે ચિત્તવૃત્તિઓ શાંત થાય છે. કેવળ દેહાર્થે જ યોગાભ્યાસ કરવો એ એક પ્રકારનો વિલાસ છે. યોગ દ્વારા કુંડલિની શક્તિ જાગ્રત થાય છે, તે કેટલેક અંશે દિવ્ય હોવા છતાં દૈહિક શક્તિ જ છે. શુદ્ધ ચિત્ત વડે તે શક્તિ પ્રગટ થાય તો એકાગ્રતામાં સહાયક છે. કુંડલિની કેવળ શક્તિપાતથી પ્રગટ થાય છે તેવું નથી. જ્ઞાનમય તપ દ્વારા, જપની લીનતા દ્વારા, નિસ્પૃહભક્તિ દ્વારા, શુદ્ધક્રિયા દ્વારા, શુદ્ધતત્વોના ચિંતન દ્વારા, સત્ પુરુષોનાં જીવનચરિત્રો અને રહસ્યોનાં
૧૧૮