SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ નિસ્પૃહ પરોપકારની ભાવના રાખવી, નીતિમય જીવન પાળવું, યથાશક્તિ બ્રહ્મચર્ય પાલન કરવું. સદાચારી, શીલાચારી રહેવું. મિતાહારી, મિતભાષી રહેવું. આ સઘળું માનવજીવનનું સત્ત્વ છે. યોગાભ્યાસીનું મન જાગ્રત અને સૂક્ષ્મઅવલોકી બને છે. સંવેદનશક્તિ વિકસે છે. દેડકાની જેમ કૂદકાં મારતું મન કે તોફાની આખલાની જેમ રખડતું મન યોગસાધનાથી નિયંત્રણમાં આવે છે. મનને સ્વસ્થ થવા માટે કોઈ પણ અવલંબન પર કેન્દ્રિત કરવાનો અભ્યાસ જરૂરી છે. મન પ્રથમ શાળાએ જતા બાળક જેવું છે. શાળાએ જવાની ના પાડતા બાળકને પ્રથમ કોઈ પ્રકારે આકર્ષણ આપવામાં આવે છે, તેમ છતાં ના માને તો મા વાત્સલ્યભાવને અંતરમાં રાખી બહારથી ભય બતાવે છે; તેમ મનને આત્માની શાળાએ બેસાડવા અર્થે ત્યાં કેવાં સુખ-શાંતિ છે તેનું આકર્ષક રૂપ સમજાવવું જોઈએ. તેનાથી તે ન સમજે તો સમભાવે તેને સંસારના પરિભ્રમણ અને તેમાં સહેવા પડતા અનેક પ્રકારના દુઃખાદિ ભયનું સ્વરૂપ સમજાવવું આવશ્યક છે. રાગાદિ ભાવો, અહંતા અને મમતા, ઈંદ્રિય વિષયોની લોલુપતા યોગાભ્યાસી માટે જીવનમાં વ્યાપેલું પ્રદૂષણ છે. તેથી જ્ઞાનસહિતની ઉદાસીનતા, (વૈરાગ્ય) ત્યાગ અને સંયમ મનના નિયંત્રણ માટે ઉત્તમ સાધનો છે. પૂર્વનું આરાધનબળ-એક દૃષ્ટાંત : જ્ઞાનીપુરુષોનું કથન છે કે, દરેક જીવ આ સૃષ્ટિમાં અનંત કાળથી જન્મ-મરણરૂપ આવાગમન કર્યા જ કરે છે; એટલે કે સ્કૂલ-સૂક્ષ્મ યોનિઓમાં દેહ ધારણ કર્યા જ કરે છે. દેહ ધારણ કરી દેહાધ્યાસ સેવી વળી પાછો દેહ ધારણ કરે છે. પ્રાણીસૃષ્ટિમાં એક માનવદેહમાં જ વિશિષ્ટ વિચારશક્તિવાળું મન હોવાથી તે વિચારી શકે છે, ‘જીવનું (મારું) કલ્યાણ કેમ થાય ?’ છતાં દીર્ઘકાળના દેહસુખ અને રક્ષણની બુદ્ધિ કે સંજ્ઞાને કારણે દેહભાવ-દેહાધ્યાસ એટલો પ્રબળ છે કે આવો વિચાર જ કોઈ વિરલ જીવને આવે છે અને કચિત્ જીવ દેહભાવથી છૂટવાનો પ્રયાસ કરે છે. એ માટે પૂર્વ-પૂર્વનું આરાધનબળ કામ કરે છે. આ યુગમાં એકાદ સદીના પહેલાના સમયમાં શ્રી રમણ મહર્ષિ ૧૧૭
SR No.005926
Book TitleDhyan Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherDeepakbhai & Dharmiben Shah USA
Publication Year2015
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy