________________
પ્રમાણે નિવૃત્તિ અને રુચિ અનુસાર અષ્ટાંગયોગની અલ્પાધિક સાધના કરી શકે છે અને ધ્યાનમાર્ગમાં તે ઉપયોગી છે. • ચિત્તવૃત્તિનિરોધનું પ્રયોજન :
યોગાભ્યાસનો સાચો સાધક અષ્ટાંગયોગને આત્મલક્ષે સાધે તો આત્મા સમાધિદશાને પ્રાપ્ત કરે છે. હઠયોગ જેવા યોગાભ્યાસની સામાન્ય સાધકને જરૂર નથી. પરમતત્ત્વનો પ્રેમી સાધક તેનો યથાર્થ ઉપયોગ સમજી યોગાભ્યાસ કરે છે. એકાદ યોગને શોખ કે ફેશન ખાતર સાધવો તેનું કંઈ ખાસ પ્રયોજન કે ફળ નથી. યોગાભ્યાસનો મૂળ હેતુ તો ચિત્તવૃત્તિઓનો નિરોધ થવો તે છે.
ચિત્તવૃત્તિઓનો નિરોધ થતાં પાર્થિવ પદાર્થોના સુખની અભિલાષા પ્રત્યેથી જીવ પાછો વળે છે. આમ થતાં ઉદાસીનતાનો ક્રમ શરૂ થાય છે. સાધકની સમજમાં આવે છે કે દેહાદિમાં રાચનારા મૃત્યુને શરણ થયા છે. શૂરવીર ગણાતા માણસો સર્પ જોઈને ભયથી છળી ઊઠે છે, આત્મા અમર છે તેવું રટણ કરનારા વ્યાધિ થતાં મૃત્યુની ચિંતાથી પીડાય છે, આવી વિષમતા કે ભય યોગાભ્યાસીને સતાવતાં નથી તે યોગાભ્યાસનું ફળ છે. ૦ યોગાભ્યાસીની જીવનચર્યા :
યોગના અભ્યાસીએ સંસારી જીવોના નિકટ પરિચયી ના થવું, કારણ કે, બન્નેની દિશા અલગ છે. રોજે સત્સંગ-સ્વાધ્યાય કરવો અને તેમાં જેને પ્રેમ હોય તેનો પરિચય રાખવો. યોગાભ્યાસ કે સાધના એ કોઈ અલ્પકાલીન સાધન નથી. દીર્ઘકાળનો, પૂર્વનો અભ્યાસ હોય તો આ ધ્યાનમાર્ગે અભિલાષા જાગે છે, છતાં જો સંસ્કાર ન હોય તો સંસ્કાર ઘડવો પડે છે. તિજોરીમાં રાખેલી સોનાની લગડી જોવામાં સારી લાગે છે. તે કંઠે ધારણ થઈ શકતી નથી. તે માટે તેને આકાર આપવો પડે છે. તેમ યોગાભ્યાસ પૂર્વના સુસંસ્કારને દઢ કરે છે અને નવા સંસ્કાર ઘડે છે.
ગૃહસ્થ સંસારી, પૂર્ણપણે યોગાભ્યાસ ન કરી શકે તો તેણે થોડી નિવૃત્તિ મેળવી પ્રારંભિક અભ્યાસ કરવો આવશ્યક છે. યોગાભ્યાસીએ જીવનચર્યા સાત્ત્વિક રાખવી, સ્વભાવ મૃદુ રાખવો, પ્રેમાળ વર્તન રાખવું,
૧૧૬