________________
૦ યોગાભ્યાસ વડે આત્મવિશુદ્ધિ :
વર્તમાન સમયમાં આત્માની દશા અશુદ્ધ હોવાને કારણે, સામાન્યપણે જીવને ધ્યાનમાર્ગમાં સ્વયં સહજ અંતઃસ્કુરણા પ્રગટ થતી નથી. આત્મા અનંત સામર્થ્યનો સ્વામી હોવા છતાં દીર્ઘકાલીન અનેક પ્રકારની અસતુ ગ્રંથિઓથી, અન્યભાવોથી અને અજ્ઞાનથી ઘેરાયેલો છે. સાધકની આત્મશક્તિ અભ્યાસ કે અવલંબન વગર પ્રગટ થતી નથી. ઘણા સમયના અવાવરા મકાનમાં જાળાં કે ધૂળનો સંગ્રહ કેવળ ચક્ષુ વડે જોવા માત્રથી કે નાક વડે સૂંઘવાથી દૂર થતો નથી, પરંતુ સાવરણી જેવા સાધન વડે, પરિશ્રમપૂર્વક દૂર થઈ શકે છે અને અવાવરુ મકાન સ્વચ્છ થતાં માણસોને રહેવા યોગ્ય બની જાય છે. તે પ્રમાણે ઘણા લાંબા સમયના દેહાધ્યાસથી આત્મા દોષો અને ક્લેશો વડે અશુદ્ધ થયો છે તેવું જાણવા માત્રથી દોષો દૂર થતા નથી, અથવા એમ માની લઈએ કે આત્મા સત્તાએ કરી શુદ્ધ છે, તોપણ દોષો દૂર થતા નથી.
અષ્ટાંગ યોગદર્શનમ્ ગ્રંથમાં ધ્યાન અને સમાધિ વિષે ઉત્તમ પ્રકારે નિરૂપણ કરેલું છે. એમાં પ્રથમ જ જણાવ્યું છે કે “સૃષ્ટિમાં જાણવા યોગ્ય “આત્મા' છે, તે મનન કરવા યોગ્ય છે, એ નિરંજન છે, નિરાકાર છે અને તે જ આપણું મૂળ સ્વરૂપ છે''
અષ્ટાંગયોગમાં મુખ્યત્વે આઠ અંગોની ક્રમિક સાધના દર્શાવી છે. કોઈ યોગી મહાત્માઓ આઠ અંગોની ક્રમિક સાધના કરે છે. બાકી ઘણા ભાગે યોગના સામાન્ય અભ્યાસીઓ તો “યોગ'ને એક અદ્યતન ફેશન ગણીને કે સ્વાથ્યના હેતુને પ્રાધાન્ય આપી, કેવળ આસન અર્થાત્ ત્રીજા અંગનો અભ્યાસ કરે છે. તેથી સ્વાથ્યને ફાયદો થાય છે ખરો; વળી કોઈ આસન સાથે પ્રાણાયામ અર્થાત્ ચોથા અંગનો સ્વીકાર કરે છે. રૂઢિગત રીતે પ્રથમ અંગ-(પાંચ આચારાદિ) યમ, બીજું અંગ-નિયમની (ભક્તિ આદિની) સાધના કરે છે. આમ આ પ્રથમનાં ચાર અંગોની ભિન્ન ભિન્નપણે કે એકાંગી સાધનાપદ્ધતિઓ જોવા મળે છે. પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ આ પાછળનાં ચાર અંગોને તો કેવળ યોગીઓ જ સિદ્ધ કરે છે. ગૃહસ્થ, ભૂમિકા
૧૧૫