SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ જોવા મળે છે. તેમાં યોગના અભ્યાસનો કેટલોક ક્રમ અષ્ટાંગયોગના આધાર સહિત દર્શાવવામાં આવ્યો છે. આ સ્વાધ્યાયમાં યોગાભ્યાસ વિષે કેટલીક સરળ સમજ આપવામાં આવી છે અને તેનું સંક્ષિપ્ત સંકલન ગ્રંથનાં પાછળનાં ભાગમાં આપવામાં આવ્યું છે. યોગ વિષેની વધુ સાધના માટે તે તે ગ્રંથોનો વિશદતાથી અને ગંભીરતાથી અભ્યાસ કરવો જરૂરી છે. ગૃહસ્થ સાધકને યોગસાધના માટે તેવાં કેન્દ્રોમાં યોગ્ય માર્ગદર્શન સહિત અભ્યાસ કરવાની સરળતા રહે છે. વળી પદ્ધતિસરનો ક્રમ જળવાઈ રહે છે. યોગાભ્યાસમાં સાધકનો જેવો હેતુ હોય છે તેવું તેનું પરિણામ આવે છે. છતાં નાડી સંસ્થાનની શુદ્ધિ અને સ્થિરતા જેવા લાભની પ્રાપ્તિ થાય છે. આત્મલક્ષી સાધકે મૂળ હેતુને લક્ષમાં રાખી આવશ્યક અવલંબન લેવું અને આગળ વધવાની ભાવના રાખવી; કારણ કે, યોગાભ્યાસ ધ્યાનમાર્ગનું અગત્યનું અંગ છે. યોગનું સામર્થ્ય ___ योगः सर्वविपद्वल्ली; विताने परशुः शितः अमूलंमंत्रतंत्र च, कार्मण निवृत्ति श्रियः ॥ ५ ॥ દુનિયાની નાના પ્રકારની વિપત્તિઓના સમૂહરૂપ વેલીઓને કાપવા માટે યોગ એક તીક્ષ્ણ ધારવાળા કુહાડા સરખો છે, અને મોક્ષલક્ષ્મીનું મૂળ, મંત્ર અને તંત્ર વિનાનું વશીકરણ છે. भूयासोडपि हि पाप्मानः प्रलयं यांति योगतः __ चंडवाताद् धनधना, धनधनघटा इव ॥ ६ ॥ જેમ પ્રચંડ પવનથી ઘની ઘાટી વાદળાંની ઘટા પણ વિખરાઈ જાય છે (નાશ પામે છે), તેમ યોગના પ્રભાવથી ઘણાં પાપ હોય તોપણ તેનો પ્રલય (નાશ) થઈ જાય છે. क्षिणोति योगः पापानि, चिरकालार्जितान्यपि, प्राचितानि यथैधांसि, क्षणादेवाशुशूक्षणिः ॥ ७ ॥ ઘણા વખતથી એકઠાં કરેલાં ઈધણોને (લાકડાંઓને) પ્રબળ અગ્નિ એક ક્ષણવારમાં બાળીને ભસ્મ કરી શકે છે, તેમ ઘણા કાળથી પેદા કરેલાં કર્મોનો (પાપોનો) પણ યોગ ક્ષય કરે છે. (કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યરચિત યોગશાસ્ત્રમાંથી) ૧૧૪
SR No.005926
Book TitleDhyan Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherDeepakbhai & Dharmiben Shah USA
Publication Year2015
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy