________________
| ૭. મોક્ષ પ્રત્યે પ્રવર્તન એ યોગ છે
યોગાભ્યાસના પ્રખર યોગીઓ આજે પણ આ ભારતભૂમિ ઉપર કવચિત્ વિદ્યમાન છે. અભ્યાસથી કે નૈસર્ગિક રીતે યોગારૂઢ થયેલા મહાત્માઓનાં દર્શન કયાંક ક્યાંક આજે પણ પ્રાપ્ત છે. તત્ત્વદર્શનના પ્રકારભેદે કંઈક ભેદ જણાય, તોપણ યોગાભ્યાસની દૃષ્ટિએ આસન, પ્રાણજય, શ્વાસજય, ધારણા, ધ્યાન જેવી સૂક્ષ્મ વસ્તુનું આજે પણ ઘણું સંશોધન થતું રહ્યું છે, અને સાધના પણ થતી રહી છે.
આ સંશોધન કોઈ યંત્રથી નથી થતું, પરંતુ ચિત્તની સ્થિર દશા અને આત્માના પુરુષાર્થ વડે થાય છે. યોગાભ્યાસ દ્વારા અનેક પ્રકારની લબ્ધિઓ અને સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે, અને તેના પ્રયોગો પ્રસિદ્ધિ પામ્યા છે, જેમ કે અગ્નિમાંથી પસાર થવું, ભૂમિથી અધ્ધર ચાલવું, પાણી પર ચાલવું, કે જમીનમાં દટાઈ રહેવું વગેરે. જો યોગસાધના આત્મલક્ષે ન હોય તો આવી લબ્ધિઓ કે સિદ્ધિઓ સાધકને પ્રલોભનમાં ગૂંચવીને લોકનિદર્શનમાં જોડીને, લોકેષણાના ખાડામાં ઉતારી દે છે, પાણીમાં માછલાં પણ નાવ વગર તરી શકે છે. પક્ષી હવામાં અધ્ધર રહે છે અને ઊડે છે, કાચબો ભૂમિમાં દિવસો સુધી દટાયેલો રહે છે. માનવને એ સિદ્ધિઓથી શું લાભ છે તે વિવેકીજનોએ વિચારી લેવું અને લબ્ધિ-સિદ્ધિઓને આત્મલક્ષે ગુપ્ત કરી દેવી.
યોગાભ્યાસનું પ્રથમનું અને અંતનું લક્ષ એક આત્મપ્રાપ્તિ જ હોવું જોઈએ, અને તેવી સાધનાના સમયનો જે ગાળો છે, તેને અંતરયાત્રા જાણવી જોઈએ, કારણ કે યોગાભ્યાસના યથાર્થ પુરુષાર્થ વડે આત્મા પરમાત્માપદને યોગ્ય બને છે.
અષ્ટાંગયોગશાસ્ત્રના પ્રણેતા શ્રી મહર્ષિ પતંજલિ રચિત “યોગદર્શન...” ગ્રંથમાં પ્રથમ પ્રરૂપણા કરી છે કે :
ચિત્તવૃત્તિનિરોધઃ” ચિત્તવૃત્તિઓનો નિરોધ રવો તે યોગ છે. આ અષ્ટાંગયોગનું સમર્થન શ્રી હેમચંદ્રાચાર્ય રચિત યોગશાસ્ત્રમાં, શ્રી હરિભદ્રસૂરિ વિરચિત યોગદષ્ટિ સમુચ્ચય ઈત્યાદિ ગ્રંથોમાં પણ
૧ ૧
૩.