SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ નિરાળો રહે છે, તે આત્માનું ત્રિકાળી અચળ અસ્તિત્વ છે, તેવો વિચાર અને શ્રદ્ધા તે પણ ઘણાં મહત્ત્વનાં છે. મનની શુદ્ધિ અને ચિત્તની સ્થિરતા થતાં અનુભૂતિ સહજ બને છે. આત્મવિચારની ગહનતામાં મનનો લય થતો જાય છે. મન જ્યાં આત્મચરણે બેસી ગયું કે ઈદ્રિયો તેના વગર કશી જ ઊથલપાથલ કરી શકે તેમ નથી, મન અને ઈદ્રિયોની આવી શાંત દશા તે મૌનની સિદ્ધિ છે. તે દિવ્યશક્તિનો આવિર્ભાવ છે. પ્રચંડ વાવાઝોડામાં પણ જેમ મ્હોર આંબાને છોડતો નથી, વળગી રહે છે તો તેના ફૂલમાંથી ફળ પાકે છે. તે પ્રમાણે ઈદ્રિયજન્ય વૈષયિક ભૌતિક સુખના પ્રચંડવેગમાં પણ જે સાધક પોતાના પથને સ્થિરતાથી ગ્રહણ કરી રાખે છે તે પોતાના ધ્યેય સુધી પહોંચે છે. બાહ્ય સંયોગોથી ચિત્ત ચંચળ થાય પણ નિરંતર લક્ષ્ય પ્રતિ સાવધ સાધક સ્વયં અકંપ રહે છે, તેને અવરોધો છોડી દે છે. આપણી પાસે અપરિમેય સંકલ્પોનો સ્ત્રોત છે. તેના ઉપયોગની દિશા હીનસત્ત્વવાળી છે. જેટલો ચિંતનનો કે વિકલ્પોનો પ્રવાહ વાસનાયુક્ત તેટલો નિમ્નગામી છે. તેમાંની થોડી પળોનો પ્રવાહ જો ઊર્ધ્વગામી બને તો પણ આત્માનું ઊર્ધ્વગમન સક્રિય બને. નહિ તો સંકલ્પશક્તિનો હરેકપળે નાશ થાય છે. આજની ક્ષતિ એ કાલનો પશ્ચાત્તાપ બને તે પહેલાં જાગો, વિચારો, સમ્યગુબળને કેળવો તો આ ચંચળતાનો ક્રમ તૂટે. આત્મવિચાર - આત્મભાવ મન અને ઈદ્રિયોનું શમન - મૌન આત્માનુભૂતિ - ભેદજ્ઞાનનું ફળ સમ્યગદર્શન - સમદષ્ટિ જે જ્ઞાનમય સહજ આત્મ, તે આત્મા થકી જોવાય છે, શુભ યોગમાં સાધુ સળને આમ અનુભવ થાય છે. નિજ આત્મમાં એકાગ્રતા, સ્થિરતા વળી નિજ આત્મમાં, સંપૂર્ણ સુખને સાધવા તું આત્મથી જો આત્મમાં. (ગાથા ર૫) - શ્રી અમિતગતિઆચાર્ય રચિત સામાયિક પાઠ ૧૧ ૨.
SR No.005926
Book TitleDhyan Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherDeepakbhai & Dharmiben Shah USA
Publication Year2015
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy