________________
ન થવું. તેને જોવા જાણવા અને દૂર કરવા અથવા તેને સ્થાને સદ્વિચારોને સ્થાપન કરવા.
સાક્ષીભાવનું શિક્ષણ એટલે અસ્તિત્વને વિકલ્પથી ભિન્ન જોવું. વિકલ્પ કે વિચાર એ સૂક્ષ્મ દેશ્ય છે. “હું દ્રષ્ટા છું, એવો ભેદ સ્પષ્ટ થતો જશે અને દ્રષ્ટા પ્રત્યે ઢળતાં સાધકને પોતાના દ્રષ્ટાભાવમાં સ્થિર થયેલા આત્માનો અનુભવ થશે. નિરંતર સંકલ્પવિકલ્પના ચાલતા પ્રવાહને રોકવાનો, પરિવર્તન કરવાનો આ ઉત્તમ ઉપાય છે. તટસ્થ અને સ્થિરતાપૂર્વકના અવલોકનથી પોતાના વિચારો, જેમ કોઈ વસ્ત્રવાસણ કે વ્યક્તિને દેખીએ તેટલા સ્પષ્ટ દેખાશે એટલું જ નહિ પરંતુ અન્યના વિકલ્પાદિ પણ આપણને સ્પષ્ટપણે જણાય છે તે જ્ઞાનનો ક્ષયોપશમ (એક વિશેષ શક્તિ) કહી શકાય.
એક ક્ષેત્રાવગાહી દેહમાં આત્મા પ્રદેશ પ્રદેશે વ્યાપ્ત છે. તેમાં શુદ્ધ ચૈતન્ય અખંડપણે સમાયેલું છે. એમાં જાણવાની અસીમ શક્તિ છે. મન દ્વારા જોવા-જાણવાનું મર્યાદિત છે. વળી જ્ઞાન અને અંતરદૃષ્ટિ અશુદ્ધાવરણથી છવાયેલાં છે. રુચિ-અભિરુચિના ભાવો મોહ અને અજ્ઞાનરૂપે આવરણ પેદા કરે છે. એથી જોવા-જાણવાની તટસ્થતા ટકી શકતી નથી. માટે સાક્ષીભાવ કેળવવો એ સાધકને માટે અનિવાર્ય છે. ૦ “તું આત્મથી જો આત્મમાં”
સાક્ષીભાવના શિક્ષણમાં અપ્રમાદ એ બળવાન તત્ત્વ છે. જાગૃતિઅપ્રમાદ અને સાક્ષીભાવ તે સહોદર બંધુ જેવા છે. ચિત્તસ્થિરતા માટે આ બંને તત્ત્વો આધારભૂત છે. અપ્રમાદની દશા જેટલી વિકસિત હોય તેટલી ધ્યાનારાધનમાં એકાગ્રતા સઘન થાય છે. તે પછી ચિત્તમાં નિરર્થક તરંગો ઊપજતા નથી અને એક વિષય પર સાધક સહેજે એકાદ કલાકનું ચિંતન સ્થિરતાપૂર્વક કરી શકે છે. આ પછી ક્રમિક વિકાસ સાધકને, ધ્યાનની સ્થિતિમાંથી આગળ વધારીને સમાધિદશા સુધી લઈ જઈ શકે છે. આવું અદ્ભત રહસ્ય આ માનવદેહમાં રહેલા ચૈતન્ય વડે પ્રાપ્ત છતાં વિલંબ થવાનું શું પ્રયોજન? અથવા કેમ થાય છે તેવો ઊહાપોહ વારંવાર કરવો તો સ્વ-દયા અને સ્વરૂપદયાનું રહસ્ય શું છે તે પણ સમજમાં આવશે.
અંતમાં સર્વ અવસ્થામાં જે જુએ છે, જાણે છે અને છતાં
૧ ૧ ૧