SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ સમયમાં શમાવી દઈ મહાન મનોજય કર્યો. પરાપૂર્વનું આરાધન એકતા પામ્યું. કોઈ પ્રયાસ કે કર્તવ્ય શેષ ન રહ્યું, ત્યારે તેઓ પૂર્ણતા પામીને ધન્ય બની ગયા. દેહનું આમૂલ વિસર્જન કરી અમર થઈ ગયા. આ ભૂમિનો માનવ આવા પરમસ્વરૂપને વિસ્કૃત કરશે તો તેનું દારિદ્રય કોણ મિટાવશે? ધ્યાનના અભ્યાસની કે અનુભવની જિજ્ઞાસા જાગે ત્યારે ધ્યાનસાધકે અણખેડેલી કે અણવિકસેલી ચિત્તની ભૂમિકાને ખેડીને વિકસિત અને સ્વચ્છ કરવી પડે છે. સુષુપ્ત પડેલી આત્મશક્તિઓ માત્ર દૈહિક ચેષ્ટા વડે જાગે તેવી કોઈ શકયતા નથી. આત્માની દિવ્ય શક્તિને પ્રગટ થવા શુદ્ધિસહિતની સ્થિરતા અને તે પછી ધ્યાનની અનુભૂતિ તે એક ઉત્તમ સાધન છે. ૦ સાક્ષીભાવનું શિક્ષણ : દેહ અનિત્ય છે. તે નાશ પામે છે. આત્મા નિત્ય છે, તે દ્રવ્ય નાશ પામે તેવી જગતમાં કોઈ વ્યવસ્થા નથી. સર્વ અવસ્થામાં તે કાયમ રહે છે. દેહ બદલાય છે, ભાવ બદલાય છે કે સ્થળ બદલાય છે, આત્માનું ચૈતન્યરૂપે ટકી રહેવું તે તેનો સ્વભાવ છે. સર્વ અવસ્થામાં આત્મા ઉપયોગ વડે પદાર્થ ને જાણે છે અને જુએ છે. પરંતુ પરિણામઉપયોગ સંસ્કારવશ બહારના પદાર્થોમાં હિતબુદ્ધિએ કરીને સુખદુઃખની લાગણીઓ ઉત્પન્ન કરે છે અને પરિણામમાં અશુદ્ધિ ભળે છે. આમ અનંતકાળથી-દીર્ઘકાળથી ચાલ્યું આવે છે. પ્રારંભમાં સંકલ્પ-વિકલ્પ, વિચારો ઊઠશે તેને જોવા અને જાણવા. પણ મનને તેની પાછળ દોડવા ન દેવું. વિચાર દોડે, તોપણ દેહને તેની પાછળ સક્રિય થવા ન દેવો. જેમ કે ઘરમાં એક ડબ્બામાં મનગમતો પદાર્થ પડ્યો છે. વ્યક્તિ કંઈક વાચન કરે છે, તેને એકાએક પેલા પદાર્થની સ્મૃતિ થઈ આવે છે, મનમાં તેની આસક્તિ જન્મી, વિચારવિકલ્પ લંબાયો, વારંવાર વિકલ્પ ઊઠવા લાગ્યા. અને મને દેહને ત્યાં જવા કહ્યું. કસમયે પણ એ પદાર્થનું સેવન થયું. આવું અન્ય ઈદ્રિયના વિષય વિશે પણ સમજવું. માટે ધ્યાનસાધકે કેટલાક સંયમ અને નિયમ સહેજે ગ્રહણ કરવાની આવશ્યકતા છે. સમજપૂર્વક કરેલા સંયમાદિ આનંદદાયક હોય છે. કોઈ પણ વિચાર કે વિકલ્પથી વ્યાકુળ ૧૧૦
SR No.005926
Book TitleDhyan Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherDeepakbhai & Dharmiben Shah USA
Publication Year2015
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy