________________
સહેજે ખરી પડે. આવું મુક્ત મન એકાગ્ર થઈ સ્વરૂપમાં લય પામતું જાય છે ત્યારે તેના સ્વરૂપનો અનુભવ થાય છે.
અનિત્ય પદાર્થ વડે નિત્ય પ્રગટ થતું નથી, અસત્ દ્વારા સત્ પ્રગટ થતું નથી, માત્ર મન દ્વારા આત્મા પ્રગટ થતો નથી. મન કે ચિત્ત જેવાં સાધનોની શુદ્ધિ થતાં સત્ પ્રગટ થાય છે, તેને પ્રગટ થવામાં અવરોધ, મનની અસવાસનાઓનો અને અબોધરૂપ જડતાનો છે. “હું” રાગી, કામ, ક્રોધી, લાલચી કે કપટી મટી જાય તો જ્ઞાન સ્વતઃ પ્રગટતું રહે છે. સ્થિરતા અને અવલોકન વડે મનના આવેગો શમે છે. કામ-ક્રોધાદિ દૂર થાય છે. તે માટે ખૂબ અભ્યાસની અગ્રિમતા અને અનિવાર્યતા છે. • સવિ જીવ કરું શાસનરસીનો મંત્ર:
ધર્મ એ અનુભવનું સ્વરૂપ છે. ધર્મ માનવને સુખ આપે છે. તે સુખ દિવ્યતારૂપે પરિણમી જીવનને ધન્ય બનાવે છે. ધર્મથી પ્રાપ્ત થતું સુખ નિર્દોષ છે. તેમાં કોઈ જીવોને ત્રાસ કે દુઃખનો પ્રાયે પ્રસંગ હોતો નથી. ઉદાત્તભાવના વડે જીવન ધર્મમય બને છે. જીવનચર્યા સરળ અને મૈત્રીભાવપૂર્ણ હોય છે. જગતના જીવો પ્રત્યે મૈત્રીભાવ વ્યાપક થવો તે માનવનું મહાન કાર્ય છે. હું અને મારું આવી સંકુચિત દૃષ્ટિ માનવજીવનને વ્યર્થ બનાવે છે, સહિષ્ણુતા, ઉદારતા અને નમ્રતા સાથે વિશાળ મૈત્રીભાવનો ઉદ્ભવ શકય બને છે. જગતના જીવો મારા જેવું જ સુખ ચાહે છે. તેમના કલ્યાણમાં મારું કલ્યાણ છે, તેવી ઉત્કટ ભાવના દેઢ થઈ કરુણારૂપે વહે છે ત્યારે સહજ ભાવે ભાવનાના ઉગાર નીકળે છે કે
“સવિ જીવ ૐ શાસનરસી. ઈસી ભાવદયા મન ઉદ્ભસી.”
- શ્રી દેવચંદ્રજીકૃત સ્નાત્રપૂજા આવી ઉત્કૃષ્ટ ભાવનાના બળે તે આત્માઓ સર્વજ્ઞપણું પામીને પરમ કરૂણાશીલ થઈ જગતને સર્વોત્તમ કલ્યાણનો માર્ગ દર્શાવતા રહ્યા છે, રહે છે અને રહેશે.
આવા મહાત્માઓએ ચેતનાની આવી પરમ અભિવ્યક્તિ માટે સંસારના મહા ઝંઝાવાતોને પણ પડકાર્યા. મનના આવેગોને અલ્પ
૧૦૯