SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળ વસ્ત્રો ખાદીનાં વાપરે, પણ અન્ય વસ્તુઓમાં પરદેશી વસ્તુનો મોહ રાખે; આ એક પ્રકારનો સાધનાનો સંઘર્ષ છે, દંભ છે. માટે સાધકે આવા અસત્યાચરણથી દૂર રહેવું. ૦ પાપી પુણ્યવંતા બને છે ? ચિત્તસ્થિરતાની પ્રારંભિક ભૂમિકાઓમાં સાધકે નિવૃત્તિ ક્ષેત્રોમાં અને એકાંતમાં વાંચન, ભક્તિ જેવાં સાધનોમાં ચિત્તને પરોવેલું રાખવાનો પ્રયત્ન કરવો. પલોટાયેલો ઘોડો જેમ માર્ગ પર એકધારો દોડી શકે છે, તેમ વાચન, ભક્તિ વડે પલોટાયેલું ચિત્ત, સ્થિરતાની ભૂમિ પર આત્મચિંતનના સહારે સરળપણે ટકે છે. છતાં સ્થિરતા ન કેળવાય ત્યાં સુધી વિચારોની સામે સંઘર્ષ કરવો. તેમને પણ કહેવું કે હે મિત્રો!“શા માટે અંતરાય કરો છો, અનુગ્રહ કરીને શાંત થાઓ, શાત થાઓ.” અથવા રૂપાંતર થાઓ. આમ કરવાથી મન આપણું મિત્ર બને છે. તે નિવૃત્તિમાં સ્થિર રહે છે અને પ્રવૃત્તિમાં સૌમ્ય રહે છે. ચિત્તમાં ઊઠતા વિચારો-વિકલ્પો-વૃત્તિઓ લાંબો સમય ટકતા નથી, પરિવર્તિત થયા કરે છે, માટે અસવિચાર આદિની રૂપાંતર થવાની ઘણી જ શકયતાઓ છે. યથાર્થ રૂપાંતર દ્વારા પાપી પુણ્યવંતો બને છે. માટે વિચારવાન પુરુષે સત્નો આશરો લેવો, સતુનું ધ્યેય રાખવું અને સને આરાધવું જેથી સત્ સત્વરૂપે પ્રગટ થાય. તે સત્ નિકટવર્તી છે. આ જીવનની યોગ્યતા છે, તેમાં ક્ષુદ્રતા ન હોય. જે વ્યક્તિ જાગ્રત થતી નથી તેને આ માર્ગ અપરિચિત લાગશે અને પ્રારંભ કરે ત્યારે પ્રથમ કંટાળો પણ લાગશે. વળી રૂઢિગત ક્રિયામાં સમૂહ વચ્ચે વ્યક્તિને એક જાતની સલામતી લાગવાથી, મિથ્યા સમતા કે શાંતિ લાગવાથી તે એમ માને છે કે પોતે ધર્મ કરે છે. આવી ભ્રમણાને કારણે ધર્મી કહેવાતા છતાં તે જીવો એક પ્રકારના કોચલામાંથી બહાર નીકળતા નથી. જો તેવા ધર્મવાંછુઓ ધર્મનો સાચો મર્મ સમજે, તો આત્મવિચાર પરિણામ પામી શકે. તે પછી ચિંતનરૂપી ભ્રમર, મનની શુદ્ધ થયેલી ભૂમિને વારંવાર ચટકો મારે તો સૂક્ષ્મ ચેતના જાગ્રત થાય, અને સત્ય શું છે તે સમજમાં આવે. એટલે વર્તમાનની અશુદ્ધદશાનું વાસ્તવિક ભાન થતાં મિથ્યા માન્યતાના કોચલામાંથી બહાર નીકળવાનું સાહસ સહેજે થાય અને સાધક સાચા ધર્મના માર્ગમાં આવે. પછી મનના દોષો-વિભાવો ૧૦૮
SR No.005926
Book TitleDhyan Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherDeepakbhai & Dharmiben Shah USA
Publication Year2015
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy