________________
સાધનામાં આંતરિક સંઘર્ષથી દૂર રહેવું ઃ માનવમન સંકલ્પ-વિકલ્પરૂપ સંસ્કારોનો એક અવ્યવસ્થિત ઢગલો છે. તેથી પ્રારંભમાં મૌનમાં, એકાગ્રતામાં કે ધ્યાનમાં આંતરિક કોલાહલ પેદા થાય છે. માનવજન્મ ઉત્તમ હોવા છતાં મનની આ જિટલતાથી જીવન કુટિલ બન્યું છે. જેમ કોઈએ પોતાનું દીવાનખાનું સુંદર સાધનોથી સજાવ્યું હોય પણ ગાલીચા નીચે ધૂળ હોય, અદ્યતન કબાટમાં વસ્તુઓ અસ્તવ્યસ્ત હોય, તેવું સામાન્ય માનવ-મનનું છે. મનનાં આવાં વિરોધાભાસી તત્ત્વોનું સામ્રાજ્ય હોય ત્યાં સ્વજ્ઞાન-સ્વરૂપજ્ઞાનની સંભાવના કેમ હોય ? અશુદ્ધ સંસ્કારયુક્ત મનના પ્રવર્તનમાં સમતુલા રહેતી નથી. સભાનતાના અભાવમાં માનવીની સંવેદનશીલતા જડતા ધારણ કરે છે, એટલે માનવને પોતાને જ પોતાનાં વિરોધાભાસી તત્ત્વોનું ભાન રહેતું નથી.
સંવેદનને કારણે દોષાચરણ સમયે સૂક્ષ્મ મન કંપી ઊઠે છે. કોઈના દુઃખ પ્રત્યેની ઉપેક્ષા, એ જડતા છે. અથવા તે સમયે ઊઠતી કોરી લાગણી તે પરિસ્થિતિનો પ્રત્યાઘાત છે. તે સંવેદના નથી. સંવેદના માનવને સ્વાભાવિક બનાવે છે. તેથી સ્વાર્થ જેવા કુસંસ્કારો સહેજે વિરામ પામે છે, સંઘર્ષો શમે છે.
સામાન્યતઃ મનુષ્ય વિચારથી નહિ પણ પ્રતિક્રિયાથી વર્તે છે. જે ક્ષણે ઈદ્રિયો દ્વારા જે વિષય ગ્રહણ થયો તે ક્ષણે મન દ્વારા સંસ્કારજનિત ક્રિયા થઈ જાય છે તે પ્રતિક્રિયા છે. જેમ કે ક્રોધ પ્રત્યે ક્રોધ વ્યક્ત થઈ જાય છે. આપણે શરીરના હાથ-પગની ગતિ જોઈ શકીએ છીએ તેમ મનની ગતિને જોતાં શીખવું આવશ્યક છે. નિરાંતના સમયમાં નિરીક્ષણ કરવાથી સમજ વધે છે. તે પછી અંતરમન શું છે તેની સમજ આવે છે. અંતરમન એટલે વિવેકયુક્ત મન. તેમાંથી જે વિચાર ઊઠે છે તેમાં મલિનતા નથી પણ તટસ્થ-મધ્યસ્થભાવ હોય છે.
સાધનામાં બહારથી કંઈ ગ્રહણ ક૨વાનું નથી. જેમ જેમ જાગૃતિ વધે તેમ તેમ મનની દોડ શમે છે, પરંતુ મન જેવું છે તેવું રહે ને સાધના કરે તો જીવન બોજારૂપ થઈ પડે છે. સંસારનો સંઘર્ષ સાધનાનો સંઘર્ષ બને છે. મૌનમાં રહેનાર વ્યાપાર કે વ્યવહારમાં અસત્ય બોલે, અહિંસાના પાઠો ગોખનાર હિંસાયુક્ત વ્યાપાર કરે, ખાદીનો પ્રચારક
૧૦૭