________________
હોવાથી તે દુર્થાન છે. ચિત્તનું અંતર્મુખ થવું, ઉપયોગનું સૂક્ષ્મ અને નિર્મળ થવું તે એકાગ્રતા કે શુભધ્યાન છે.
તત્ત્વજ્ઞાન એ શાસ્ત્રોની ગૂઢ ભાષા કે કેવળ ઊંચા પ્રકારની કલ્પના-વિચારણા કે બુદ્ધિની રમત નથી. તર્કશાસ્ત્ર એ સત્યોને અસત્ય ઠરાવવા માટે નથી. અસ્તિત્વના મૂળમાં કાર્ય કરી રહેલાં સત્યોની શોધ, તેના સ્વરૂપની સમજ તે સાચું તત્ત્વજ્ઞાન છે. - સત્યોનો સમન્વય કરી, તત્ત્વોનો સાપેક્ષતાએ વ્યવહારમાં અને અંતરમાં સાક્ષાત્કાર કરવો તે યોગશાસ્ત્ર છે. શુદ્ધ તર્ક દ્વારા યોગ્ય પૃથક્કરણથી સત્ય સમજાય છે અને અસત્ છૂટી જાય છે. | સામાન્ય રીતે માનવનું મન અનેક જન્મોથી વાસનામાં ઘેરાયેલું છે, તેનો નિરોધ શાસ્ત્રકારોએ જણાવ્યો છે. ચિત્તસ્થિરતાનો એ ઉપાય છે, તેથી પદાર્થ શું છે તે સમજાય છે. સ્થિરચિત્તને એક જ વિષય પર રહેવું સરળ પડે છે, અને તે આત્મવિચારનો સ્પર્શ પામી શકે છે, તે પછી વિકલ્પો શમતા જાય છે અને તે પછી આત્મ-અનુભવ પ્રાપ્ત થાય છે.
માનવનું મન ઘણા સામર્થ્યવાનું છેતે પ્રાણનો નિગ્રહ કરી શકે છે, વાસનાઓ ઊભી કરે છે એ દબાવી પણ શકે છે, છતાં તે મન સરૂપે થતું નથી. મનનું વિસર્જન થવાથી સત્ પ્રગટ થાય છે.
મોટાભાગે મનુષ્ય, મનના દોષોને ઢાંકીને, વિકારોથી ભયભીત થઈ આત્મરતિને અવરોધી, આદતોથી જીવવા લાગ્યો છે; એટલે જડતા વ્યાપી ગઈ છે. જીવનનાં સર્વ કાર્યો યંત્રોથી કે યંત્રવત્ થવા લાગ્યા છે, અને માનવીની સંવેદના જડ થતી ચાલી છે. તેથી સ્વાર્થ, સંઘર્ષ, ક્લેશ અને મોહની પ્રબળતા વધી પડી છે. ચેતના વિક્ષિપ્ત થતી ચાલી છે. આમ જીવનમાં અસત્ વધી પડયું છે.
હરિશ્ચંદ્રની કથા કરનાર અસત્યાચરણ કરી શકે? મહાવીરનો ઉપાસક, કથાપ્રેમી હિંસાત્મક વ્યાપાર-ધંધા કરી શકે ? શ્રીમદ્ રાજચંદ્રજીનો ઉપાસક દેહ (‘હું')નો ઉપાસક હોઈ શકે? જ્યાં સુધી કથાઓ કે પુરુષો શાસ્ત્રમાં રહેશે ત્યાં સુધી આત્મત્વ કે મનુષ્યત્વ પ્રગટ નહિ થાય. સને જિવાશે નહિ તો કોઈ જ્ઞાની આપણને બચાવી નહિ શકે. સત્ અપ્રગટ જ રહેશે. મનના સામર્થ્યનો સમ્યગ ઉપયોગ આ માર્ગને સહાયક છે.
૧૦૬