________________
જળવાય તો ધ્યાનમાં ઉપાસના-સ્થળોમાં જવાનું પ્રયોજન નિષ્ફળ થાય છે, અથવા ધાર્મિક ક્રિયાયુક્ત સ્થાનોની જેમ એક પ્રણાલિકા જેવું જ તેનું પરિણામ આવે છે. આમ બનવાથી માનવ, ધર્મ કરવાનું માને છે છતાં જીવન ધર્મમય પરિણામ પામતું નથી તે વિચારવા જેવું છે.
ધર્મના ઉત્સવો તે ધર્મ નથી. સાધન બદલવાથી ધર્મ ફળવાન થતો નથી. વિભાવ વિરમે વૃત્તિ સ્વભાવરૂપે પરિણમે ત્યારે ધર્મની પ્રાપ્તિ થાય છે.
માણસનું હરવું-ફરવું, ખાવું-પીવું, જાગવું-ઊઠવું, કે નિર્વાહાદિનાં સર્વ કાર્યો યંત્રવતુ કે યંત્રથી યોજાતાં જાય છે. તેમાંય સાધનસંપન્નતા વધી તો માનવ વધુ યંત્રાધીન થતો જાય છે. તે ટેવો એવી ગાઢ થતી જાય છે કે તે જ્યારે ધર્મક્રિયાના ઉત્સવો કરે છે ત્યારે પણ બાહ્યાડંબરમાં રાચી જાય છે, અને સર્વ ક્રિયા યંત્રવત્ થતી રહે છે. તેમાં ધર્મનો અનુભવ શું? તો કહેશે : અરે બહુ મજા આવી, ભોજન સમારંભ સારો ગયો. ઘણા લોકો આવ્યા. સૌએ વખાણ કર્યા, રાત્રિજગો સુંદર થયો,”સાહેબજીનાં પગલાં થયાં. અમુક લાખનું ખર્ચ થયું વગેરે. તેમાં પ્રારબ્ધયોગે વળી સંપત્તિયોગ વધુ થયો તો, માન્યતા થવાની કે આવું બધું કર્યું અને સુખી થયા. ધર્મ અને ધનને આવી રીતે જોડીને માનવ સાચા ધર્મથી દૂર થતો જાય છે.
મનના સામર્થ્યનો સમ્યફ ઉપયોગ :
એક સર્જન જયારે દર્દી પર શસ્ત્રક્રિયા કરે છે ત્યારે પણ જગતના તમામ માનસિક સ્થૂલ વ્યાપારને ત્યજીને એકાગ્ર થઈ શસ્ત્રક્રિયા કરે છે ત્યારે તે સફળતા પામે છે તેમ સાધકને જો ચંચળતાની જડ ઉખેડવી હોય, તેનો છેદ કરવો હોય તો ચિત્તની સ્થિરતા અત્યંત આવશ્યક છે. જીવો એકાગ્રતા અનેક પ્રકારે કરે છે. ધ્યાન પણ જીવો અનેક પ્રકારે કરે છે. મોતી કે સોય પરોવવામાં, વ્યાપારમાં હિસાબ લખવામાં કે નાણાંની ગણતરી કરવામાં, વિકથાઓમાં મન એકાગ્ર થાય છે. વળી શિકારી શિકારના ધ્યાનમાં જતો હોય છે, માછીમાર માછલાં પ્રત્યે ધ્યાન રાખે છે, વસ્ત્રો ખરીદનાર વસ્ત્રોનું ધ્યાન રાખે છે. આ સર્વ મિથ્યા એકાગ્રતા અને મિથ્યા-અશુભ ધ્યાન છે. ભૌતિક પદાર્થો પ્રત્યેની એકાગ્રતામાં રાગ દ્વેષ, ગમો-અણગમો જેવાં ઢંઢોનું તત્ત્વ
૧૦૫