________________
મળને વિસર્જન કરવાનું છે. ચિત્ત ભમતું રહે તો આવી ક્રિયા થવી સહજ નથી, અને દેહભાવનું પ્રાધાન્ય વધતું રહે તો આત્મભાવની વિસ્મૃતિ ચાલુ રહેશે.
જીવને જેટલી અબોધતા તેટલી આત્મવિસ્મૃતિ હોય છે. બોધપ્રાપ્ત સાધક હર્ષ-વિષાદના પ્રસંગે સમતુલા જાળવે છે. ગૃહસ્થ સાધકને
સ્ત્રી, પુત્ર, પરિવાર, વ્યવહાર, વ્યવસાય અને પ્રસંગોચિત કાર્ય કરવાં પડે છે. તેમાં રાગજિભાવો વિષમ કે પ્રતિકૂળ સંયોગો ઊભા થાય તે સ્વાભાવિક છે. ધ્યાનનો અભ્યાસી સાધક સામાન્ય સંસારી જીવ કરતાં આ સ્થાને જુદો પડે છે. તે જાગૃતિપૂર્વક પોતાના જ્ઞાન-બોધ દ્વારા સંયોગને સમતાથી નિભાવી લે છે. ધ્યાનમાર્ગમાં સ્વશિક્ષણનું અગત્યનું સ્થાન છે.
વર્તમાન સમયમાં શાંતિની અભિલાષાએ પણ કેટલોક જનસમૂહ ધ્યાનાભિમુખ થતો જોવામાં આવે છે. ધ્યાનમાર્ગનો ઉપાસક પોતાની નિષ્ઠા, ભૂમિકા અને નિશ્ચય પ્રમાણે આ માર્ગનું તત્ત્વ પામે છે. જેમ કે, શાંતિચાહક શાંતિ મેળવે છે, આનંદનો ચાહક આનંદ મેળવે છે, લબ્ધિ-સિદ્ધિનો ચાહક તેવું કંઈક મેળવે છે અને મુક્તિનો ચાહક ક્રમે કરીને મુક્તિ મેળવે છે. જેમાં મોટી સર્ચલાઈટનો પ્રકાશ તેની આગળ જેવા રંગનો કાગળ મૂકો તેવા પ્રકારના પ્રકાશને જણાવે છે, તેમ ધ્યાનમાર્ગે અભીપ્સાનો જે પ્રકાર હશે તે પ્રમાણે તેનું પરિણામ થશે.
ધ્યાનશિબિરો જેવા સામૂહિક કાર્યક્રમોમાં શ્વાસ કે કાય અનુપ્રેક્ષા જેવાં અવલંબનો અથવા સ્વ-અવલોકન કે જપ જેવા અભિગમો દ્વારા પ્રાથમિક શિક્ષણ મળતું હોય છે. તેવાં અવલંબનો સાધનામાં ચિત્તની સ્થિરતા માટે સહાયક બને છે. પરંતુ સમૂહના કાર્યક્રમો પછી જો સાધક પોતે તે શિક્ષણના પ્રકારોનું સેવન નિત્ય ન કરે તો આવા કાર્યક્રમો રંજનરૂપ કે સ્થળાંતર દ્વારા હવાફેર જેવા થઈ પડે છે. સામૂહિક કાર્યક્રમ પછી જ સાધકની સ્વશિક્ષણરૂણ સાધનાનો પ્રારંભ થાય છે, તે નિષ્ઠાપૂર્વક થવો જોઈએ. અને તે દૈનિક જીવનનું એક અંગ છે તેમ સમજી એવું આયોજન નિત્યપ્રતિ કરવું જોઈએ.
જેમ દેહને સ્વસ્થ અને પુષ્ટ રાખવા નિત્ય આસન, શયન, ભોજન ઈત્યાદિની આવશ્યકતા છે તેમ જ અભ્યાસ માટે નિવૃત્તિમાં સ્વશિક્ષણની અગ્રિમતા હોવી જરૂરી છે. જો આ પ્રમાણે અભ્યાસની સળંગસૂત્રતા ન
૧૦૪