SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ દેહાધ્યાસનો વિસ્તાર ચિત્તસ્થિરતાને બાધક છે : મનુષ્યને જેટલો દેહાધ્યાસ તેટલી ચંચળતા. જીવનનો અમૂલ્ય સમય દેહના અને દેહના સહચારીઓના જ પરિચયમાં વીતે તો ચિત્તની સ્થિરતા થવી શક્ય નથી. સાધકે દેહાધ્યાસનું પ્રયોજન મંદ કરવું પડે છે અને દેહાધ્યાસ મંદ થાય તેવાં શુદ્ધ અવલંબનોનો સહારો ગ્રહણ કરવો પડે છે, તથા આંતરિક રાગાદિ પ્રવાહોરૂપ દેહાધ્યાસનું સમજપૂર્વક શમન કરવું પડે છે. આમ બાહ્યાંતર અવરોધો ઘટે તેમ સ્થિરતા વધે છે. મુખ્ય અવરોધરૂપ મિથ્યાભાવ હણાયો કે જીવ ધર્મમાર્ગમાં સહેજે પ્રેરાય છે. રાગ-દ્વેષ, હર્ષ-શોક, ભય-ચિંતા વગેરે દ્વન્દ્રભાવોથી રહિત નિરાબાધ ઉપયોગની અવસ્થામાં ટકવું તે એક મહાન ચમત્કૃતિ છે. એનાથી પદાર્થોને જોવાની તટસ્થતા આવે છે. અનુક્રમે તે પરમધર્મરૂપે પરિણમે છે. ચિત્તસ્થિરતામાંથી આત્માનું વિશિષ્ટ સામર્થ્ય પ્રગટે છે. પંડિત હોય પણ ચિત્ત અને કાગ્રે ભમે તો શાસ્ત્રજ્ઞાન પોથીજ્ઞાન રહે છે. તેને જ્ઞાનીઓ જ્ઞાનરૂપે સ્વીકારતા નથી. શાસ્ત્રાભ્યાસ વડે તત્ત્વના સ્વરૂપને યથાર્થપણે જાણી, સમ્યગુ ઉપયોગ વડે જે આત્મા પ્રત્યે વળે છે તેની દેહાર્થની કલ્પના તૂટે છે. ચિત્તને એકાગ્ર થવામાં જપ, સ્વાધ્યાયાદિ, શ્વાસજય વગેરે માત્ર પ્રાથમિક સાધનો છે. સાચો આત્મસાધક ચિત્તને એકાગ્ર કરવા માત્ર બાહ્ય સાધનો યોજતો નથી, પરંતુ આવશ્યક ઉપયોગ કરી તેમાંથી આત્મા પ્રત્યે વળે છે. તે માત્ર બાહ્ય તપથી સંતુષ્ટ થતો નથી, સ્મૃતિ માટે સ્વાધ્યાય કરતો નથી, સ્પૃહાજન્ય ભક્તિ દર્શન કરતો નથી કે શ્વાસજયને કોઈ આત્મસિદ્ધિ માનતો નથી. તેનું લક્ષ એક જ છે કે આત્મભાવના દ્વારા સમતાની પ્રાપ્તિ અને મમતાનો નાશ, અર્થાત્ દેહાધ્યાસનું વિસર્જન અને ભવરોગથી મુક્તિ. મનોભૂમિકાને બહારના પૂલ પદાર્થો પ્રત્યે નિરંતર જોવા ટેવાયેલું મન અલ્પ અભ્યાસ દ્વારા કાંઈ સૂક્ષ્મ ઉપયોગમાં સ્થિર થતું નથી. વિદ્રોહ કરીને, ફરીફરી લોકમાં ફરવા નીકળે છે. માટે પ્રથમ પોતાના જ શ્વાસ જેવા નિર્દોષ સાધનનું અવલંબન લયબદ્ધ એકાગ્રતાના અભ્યાસ માટે પ્રારંભિક ભૂમિકાએ ઉપયોગી બની શકે. કારણ કે શ્વાસપ્રશ્વાસ એ સહજ નિર્દોષ દૈહિક ક્રિયા છે. તે પછી આગળ વધી નિયમિત થયેલા ઉપયોગને જ્ઞાનસ્વરૂપી આત્મા પ્રત્યે વાળી ચિત્તમાં રહેલા ૧૦૩
SR No.005926
Book TitleDhyan Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherDeepakbhai & Dharmiben Shah USA
Publication Year2015
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy