________________
ધરતી માતા તે તેમને ચેપ લાગેલાં ઢોરની એટલી નજીક બાંધવામાં આવ્યા કે જેથી તેઓ પોતાનાં મેં એકબીજાને રગડી શકે. તેમ છતાં મોંના રોગોને ચેપ આ બળદોને ન લાગ્યો.
ઢોરને થતા ના અને પગના રોગો વાઇરસના રોગો ગણાય છે. પરંતુ તે પણ ઢોરઢાંખને પૂરતા પોષક આહાર ન મળવાનું જ પરિણામ છે, એમ લેખક પોતાના અનુભવોને આધારે ભારપૂર્વક જણાવે છે. કૃત્રિમ ખાતરોવાળી જમીનમાં ઊગેલો ચારો કે ધાન વગેરે ખાનારાં ઢોરને એ રોગ વહેલો થવાનો સંભવ છે, એમ પણ તે નોંધતા જાય છે.
બીજો એક અનુભવ તે એ નોંધે છે કે, ફળદ્રુપ જમીનમાં પકવેલું ધાન ઢોર હસે હોંસે ખાય છેએટલું જ નહિ પણ, બીજા ધાન કરતાં ઓછું ખાય તે પણ તે બરાબર ધરાઈ જાય છે. પરિણામે અનાજને પંદર ટકા જેટલો બચાવ થાય છે.
મરઘા-બતકાંને ફળદ્રુપ જમીનમાં પકવેલું અનાજ આપવામાં આવે છે, તો નાનાં બચ્ચાંની મરણસંખ્યા ૪૦ ટકાથી ઘટીને ૪ ટકા થઈ જાય છે. ભંડોને એ અનાજ ખાવા મળતાં તેમને કર (scour) રોગ દૂર થઈ જાય છે. ઘડા અને ગાયોને પ્રસૂતિ વેળા જે મુશ્કેલીઓ પડે છે, તે પણ આ અનાજ ખાવાથી પડતી નથી.
વૈજ્ઞાનિકો વધુ અનાજ કેમ કરીને ઊતરે એની તરખટમાં જ રહે છે. પણ એ અનાજ ગુણવત્તામાં કેવું થાય છે, અર્થાત્ તે અનાજ ખાનાર ઢોર-ઢાંખ તથા માનવ પ્રાણીઓ ઉપર તેની કેવી અસર થાય છે, તે વિચારવા કે તપાસવા થોભતા નથી, આંકડાશાસ્ત્રીઓ પણ એકર દીઠ ઉતારો તથા તેને વેચતાં થતી આવકના જ આંકડા માંડ્યા કરે છે; પણ પ્રાણીઓના આરોગ્ય ઉપર અને કોમના આરોગ્ય ઉપર તેમની શી અસર થાય છે, તેનું લેખું માંડતા નથી.
પિષક અને નીરોગી આહાર પસંદ કરવાની ઢોર-ઢાંખમાં જે સાહજિક વૃત્તિ રહેલી છે, તે વૈજ્ઞાનિકોનાં સંશોધનો કરતાં જરાય ઊતરતી નથી, એવો પુરાવો મોટા પ્રમાણમાં ભેગો થતો જાય છે. બે