________________
પાકને થતા રે
કઠોળના પાક માટે પણ એ જ નિયમ લાગુ પડે છે : કૉપેસ્ટ ખાતર વાપરવામાં આવે, તે જરૂર સારું પરિણામ આવે.
૧૨. બટાટા બટાટાના પાકની બાબતમાં, વધારે પડતા પાણીથી જમીન જામી જઈ તેની છિદ્રાળુતા જ્યાં ઓછી થઈ જાય, ત્યાં તે પાકની ચીરો કરીને સૂકવો તે તે કાળી પડી જાય છે. પહેલાં જ્યાં ઘાસનું બીડ હોય અને તેથી જમીનમાં સૂમસ પૂરતા પ્રમાણમાં હોય, ત્યાં બટાટાની ખેતી શરૂ કરવામાં આવે છે, તો એકર દીઠ ૨૫ ટન જેટલો પાક ઊતરે છે. પણ જેમ જેમ જમીનમાં સૂમસ ઘટતું જાય છે, તેમ તેમ સુપર ફૉફેટ ખાતર વાપરી પાકનો ઉતારો કાયમ રાખવા પ્રયત્નો શરૂ થાય છે. પછી પાકને સળો પડવા લાગે એટલે ઝેરી છાંટવું છાંટવાનું શરૂ થાય છે. ધીમે ધીમે એ છાંટણાંનું પ્રમાણ વધતું જઈ, એકરે ૧૫ ઇંદ્રવેટ જેટલું અને તેથી પણ વધુ થઈ જાય છે.
એટલે બટાટાના રોગનું કારણ ખરી રીતે જમીનની ફળદ્રુપતા ઘટતી જવી એ છે. જે ખેતરોમાં કૉપોસ્ટ ખાતર વાપરવામાં આવે છે, તે ખેતરોમાં સળાનો રોગ દેખા દેતો જ નથી, અને ત્યાં ઝેરી છાંટણાં પણ વાપરવાં પડતાં નથી.
કેટલાક ભાગોમાં “ઇલવર્મ' નામનું ઇયળ જેવું જંતુ છોડનાં મૂળ ઉપર હુમલો કરે છે અને છોડને વધવા દેતું નથી. એ જમીનમાં ઘૂમસનું પ્રમાણ ઘટી જતાં ગુંદરિયા રજકણો નાશ પામી જઈ, જમીન જામી જાય છે અને જમીન ઉપર ભૂરાં અને રાતાં કુંડાળાં નજરે પડે છે. વારંવાર કૃત્રિમ ખાતર આપ્યા કરવાને લીધે આ પરિણામ અચૂક આવે છે,
એ ઇલવને કેમ મારી નાખવો એનું સંશોધન વૈજ્ઞાનિક કરવા માંડે છે તથા છોડને એ રોગનો પ્રતીકાર કરવા ઉત્તેજિત કરવા કૃત્રિમ ખાતરો પીરસાય છે. પરંતુ જે એકમાત્ર સાચી રીત તે જ અજમાવવામાં આવતી નથી. ખરી રીતે ખેતીની જમીન અને ઢોરઢાંખની સંખ્યા