________________
ધરતી માતા થાય છે; પરંતુ જમીનમાં સીધી વેરેલી ડાંગર કરતાં એને ઉતાર સારો આવે છે. આમ ધરુ વાવીને પછી ઉપાડીને ખેતરમાં વાવવાની રીત ફળ, ચા, કૉફી, કકે, તમાકુ, શાક વગેરેના વાવેતરમાં પણ ફાયદાકારક નીવડે છે. “શરૂઆત સારી એટલે અધું કામ પત્યું જાણવું' – એ કહેવત જેવું આમાં થાય છે.
પરંતુ ચોખાને છોડ પોતાની જાતને ખાતર શી રીતે પૂરું પાડે છે? તેનો જવાબ ડાંગરના ક્યારડામાં થતી શેવાળની પરતમાં રહેલી નાઇટ્રોજન પકડવાની શક્તિમાં રહેલો છે. એ પરત ત્રાણ કામ કરે છે: તે ચોખાનાં ખેતરોના પાણીમાં હવા ભેળવી આપે છે, તે વાતાવરણમાંથી નાઇટ્રોજનને ચાલુ પુરવઠો મેળવી આપે છે તથા તે પોતાની પાછળ સેન્દ્રિય ખાતર બનાવનાર પદાર્થ મૂકતી જાય છે. તેમ છતાં એ પરતમાંથી તથા જૂના છોડના મૂળમાંથી મળતા સેન્દ્રિય પદાર્થો ઉપરાંત ઉપરથી ખાતરરૂપે સેન્દ્રિય પદાર્થો ઉમેરવાની જરૂર રહે છે જ.
તો ચોખાના પાકને જોઈતું કૉપેસ્ટ કેવી રીતે મેળવવું? જે પ્રદેશમાં ચોખાનો પાક થાય છે, તે પ્રદેશોમાં હ્યાસિંઘ (hyacinth) નામનું પાણીમાં ઊગતું બરૂ પુષ્કળ પ્રમાણમાં થાય છે. કુદરતની તે સ્વર્ગીય ભેટ જ ગણવી જોઈએ. કારણકે, તેમાંથી કૉપેસ્ટ બનાવવા જોઈને અને જલદી માટી થઈ જતે; વનસ્પતિ-જ પદાર્થ મળી રહે છે એટલું જ નહિ પણ, કૉપેસ્ટની પ્રક્રિયા દરમ્યાન જોઈ ભેજ પણ મળી રહે છે. વધારામાં માત્ર ગાયનું છાણ અને મૂત્રમિશ્રિત માટી જોઈએ, જે સ્થાનિક રીતે મળી રહે. બંગાળામાં જો હ્યાસિંઘનું કૉમ્પોસ્ટ બનાવવાની ચળવળ રાષ્ટ્રીય ધોરણે શરૂ કરવામાં આવે, તે ચોખાને પાક મબલખ
ઊતરે.
જમીનમાંથી છોડને પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન મળી રહે, તો તે છોડ ગમે તેવા રોગરૂપી દુશ્મનને સામને કરી શકે, એ પાઠ મુખ્યત્વે ચોખાને છોડ આપણને શીખવે છે.