________________
ધરતી માતા માટે પણ નહેરનું પાણી ઓછામાં ઓછું વાપરવું. એ ઘાસનાં જમીનમાં રહેલાં થડ અને મૂળ પછી કઠણ જમીનને પણ હવા માટે જોઈતી છિદ્રાળુતા ઊભી કરી આપે છે. જમીન ઉપર પડતાં તણખલાં અને ઢોરઢાંખનાં છાણમૂત્રનું જે કૉપસ્ટનું પડ બંધાય, તેમાંથી ખૂબ ધ્રુમસ પણ જમીનને મળી રહે છે. એવી નવસાધ્ય જમીનને કદી ઉઘાડી ન રાખવી – તેના ઉપર પડતા સૂર્યના પ્રકાશની શક્તિને વનસ્પતિનું ઉત્પાદન કરવામાં ઉપયોગ કરતા રહેવું; તેમાંથી અંતે હ્યુમસ પેદા થાય છે. ઉપરાંત તેમાં ઊંડાં મૂળ નાખતા છોડ વાવતાં રહેવું (ચિકોરી, લ્યુસર્ન, અરહર ઇ૦) જેથી આંતર-જમીન પણ ભેદાય. આમ નવસાધ્ય કરેલી જમીન ઉપર એકર દીઠ ૧૬૦૦ રતલ ઘઉં ઊતર્યાના દાખલા છે.
કુદરત અલ્કલી ખારી જમીન ઉપર લાવીને બારમાસી નહેરોના પાણીના ઉપયોગ સામે અસરકારક લાલ બત્તી ધરે છે. રણપ્રદેશો સુધી નહેરનું પાણી લઈ જવાથી બધું કામ પતી જતું નથી. એ પાણી એવી રીતે વપરાવું જોઈએ તથા ખેતીનું સંચાલન એવી રીતે કરવું જોઈએ જેથી જમીનની ફળદ્રુપતા કાયમ રહે. ભારે ખર્ચે નહેર-વસાહતે ઊભી કરવી, અને પછી બેએક પેઢી સુધી પાક લઇ, તે ભાગને ખાર-જમીનનો રણપ્રદેશ બનાવી મૂકો, એ તે એક પ્રકારે ધરતીની લૂંટ કહેવાય. (ઇજિપ્ત વગેરે દેશોના) જૂના ખેડૂત ડહાપણ વાપરી કદી બારમાસી નહોરોની વ્યવસ્થા નહોતી ઊભી કરતા. તેને બદલે નદીમાં પૂર આવે ત્યારે પાળા બાંધી એક વાર જમીન ઉપર પાણી ફરી વળવા દેતા; પછી પાણી સુકાય ત્યારે ખેડ કરી વાવેતર કરતા. આ રીતે પાણીનો લાભ જમીનની છિદ્રાળુતાનો નાશ કર્યા વિના લઈ શકાય છે.
મિ૦ કિગના શબ્દો કાયમ માટે ધ્યાનમાં રાખવા જેવા છે –
ભારત, ઇજિપ્ત અને કેલિફોર્નિયામાં ખાર-પ્રદેશે મોટા પ્રમાણમાં ઊભા થતા જાય છે, એ નહેરો વડે પાણી લેવાની આધુનિક પદ્ધતિનું જ પરિણામ છે. આધુનિક લોકોએ હજારો વર્ષથી એ જ