________________
૫૪
ધરતી માતા રક્ષણ થાય છે; અને (૨) જંગલની નીચે જમીન ઉપર પથરાતાં સૂકાં પાંદડાં, ડાળખાં તથા પ્રાણીઓનાં મળ-મૂત્ર ભેગાં મળી હ્યુમસની ઉત્પતિ ત્યાં પૂરતા પ્રમાણમાં થાય છે. તેમાંથી ગુંદરિયા રજકણે ઊભાં થાય છે. વળી એ હ્યુમસ જમીનમાં ઊતરતાં જમીનની છિદ્રાળુતા વધે છે તેમજ પાણીને અંદર સમાવવાની શક્તિ પણ.
એટલે નદીના ઉપરવાસ વિસ્તારમાં જંગલનું સંરક્ષણ એ જ નીચણ તરફના ખીણ-વિસ્તારની ફળદ્રુપ જમીનના સંરક્ષણ માટેની વડી ચાવી છે. અલબત્ત, બીજા યાંત્રિક ઉપાયો જેવા કે, પગથિયાં પાડીને ઢોળાવને હળવો કરી નાખવો, પાણીના વહેણને ધીમે કરવા ઉચિત ઢોળાવવાળી નાળો કરવી, વગેરેનો પણ યોગ્ય રથાને ઉપયોગ છે; પરંતુ મુખ્ય કામ તે નદીના ઉપરવાસના વિસ્તારોમાં જંગલનું ઢાંકણ મેળવવાનું અને જાળવવાનું કહેવાય.
જમીનતળ ઉપરના પાણીને વહી જવાને માટે કરેલી નાળામાં તળિયે અને આજુબાજુ ઘાસ વાવી દેવું એ પણ અગત્યનું છે. એ નાળો પહોળી તથા બહુ છીછરી હોવી જોઈએ. એવી ઘાસની શેતરંજી ઉપર થઈને જવું પાણી ચળાઈને ચોખું બની રહે છે તથા ઘાસમાં સંઘરાત કાંપ તેને કીમતી ખાતર પૂરું પાડે છે. એ ઘાસ ચારા તરીકે ઢોરો માટે ઉત્તમ નીવડે છે.
પણ માણસજાતના લોભને થોભ નથી. એટલે નદીના મૂળ પાસેનાં જંગલો પણ કાપીકૂપી, લાકડાં વેચી-સાટી, સપાટ થયેલી જમીન ઉપર ખેતી કરવાને લોભ તે ખાળી શકતો નથી. સૈકાઓથી તે જંગલો નીચેની જમીનમાં ધૂમસના ભંડારો એકત્રિત થયા હોય છે. એટલે શરૂઆતનાં વર્ષોમાં એ જગાએથી પાક પણ સારો ઊતરે છે. પરંતુ પછી એકના એક નફાકારક પાક સતત લેવાની વૃત્તિ, તથા જમીનમાં જોઈતું ખાતર નાખવાની વૃત્તિનો અભાવ, એને કારણે તે જમીનનાં ખનિજ રજકણો તથા તેમને જોડી રાખનારાં રજકણો વરસાદના પાણીમાં વાવા લાગે છે અને નીચે આવેલા ખીણ-પ્રદેશો તરફ નદીઓમાં પુરાણ અને