________________
વિજ્ઞાનની કિતાબ
આવે, તે શું થાય તેના પ્રયોગ કરે. લાઇબીગ (LIEBIG) નામના વૈજ્ઞાનિકે ૧૮૪૦ માં આ પ્રમાણેના ખેતીને લગતા સંશોધનની શરૂઆત કરી હતી.
૪૧
એનાં સંશાધનાને આધારે પછી રાસાયણિક ખાતરોના યુગ શરૂ થયા. શરૂઆતમાં તે ખાતરો બે પ્રકારનાં હોતાં : નાઇટ્રોજન-આધારિત અને બીજાં પેટાશ ફૉસ્ફેટ-આધારિત. નાઇટ્રોજનના પહેલા અક્ષર N, પોટાશિયમ કેલિયમ )ના પહેલા અક્ષર K, અને ફૉસ્ફરસના P, – એ આદ્યાક્ષરો લઈને આ યુગને N PK - યુગ કહીએ તે પણ ચાલે.
શરૂઆતમાં તે વિજ્ઞાનીઓ ખેતરો સાથે કંઈક સંપર્કવાળા પણ હોતા. પરંતુ પછી તેા પ્રયોગશાળાના તપસ્વીઓના યુગ આવ્યો. તે પ્રયોગશાળામાં રેતી ભરેલાં કૂંડાંમાં N PK દ્રાણા છાંટીને અમુક છાડ ઉગાડે; અને પછી પા કે અર્ધા એકરના વાડામાં એ સંશાધનાને આધારે જરા વિસ્તારથી પ્રયોગો કરી જુએ.
સરકારો અને યુનિવર્સિટીએ આવી સેંકડો પ્રયોગશાળા એક સૈકાથી ચલાવતી આવી છે. તેઓએ એમ જ સ્થાપિત કર્યું કે છાણિયા ખાતરનેા કે ઘાસ-પાન વગેરેથી નીપજતાં કૉપોસ્ટ ખાતરોને જમીનને કશે। લાભ નથી. અમુક રાસાયણિક દ્રવ્યો અમુક પ્રમાણમાં ધરતીમાં ઉમેરવામાં આવે, તે પાક ઊતર્યા કરે – મબલખ ઊતર્યા કરે.
આવી એક સરકારી પ્રયોગશાળા જોવા માટે સર આલ્બર્ટ હાવર્ડને જવાનું થયું હતું. ત્યાંની બધી પ્રવૃત્તિના કયાસ કાઢી તે ત્યાં ને ત્યાં પ્રતિજ્ઞા લઈને બહાર નીકળ્યા કે, આવાં ધરતી-વિજ્ઞાનીઓનાં મક્કા જેવાં પ્રતિષ્ઠિત ગણાતાં ધામામાં ફરી કદી પગ ન મૂકવા !
તે નોંધે છે કે, આ વિજ્ઞાનીઓ મુખ્ય ચાર ભૂલ કરે છે:
(૧) પ્રયોગશાળાના વાડાના નાના ટુકડામાં માથાકૂટ કરવાથી ખેતી વિષે કશા સાચા નિર્ણય ઉપર ન પહોંચી શકાય. એક નાના ટુડા ઉપર ઘઉં વર્ષોવર્ષ વાવ્યા કરવા, એ વસ્તુ ઘઉંની ખેતીના સંશાધન માટે કઈ રીતે પૂરતી ગણાય ? કારણ કે, વ્ય.વહારિક જગતમાં