________________
યંત્રયુગની કિતાબ
૩૭ હિસ્સો છે, તે સંપત્તિની લૂંટ છે, જેનો બચાવ કરવા માટે તેઓ અત્યારે હાજર નથી.
ડેન્માર્ક દેશનો દાખલો અહીં જોતા જઈએ. તે દેશને આપે ડેરી ઉદ્યોગ ધરમૂળથી ખોટા પાયા ઉપર ચલાવવામાં આવે છે. ડેન્માર્કને ખેડૂત ખેતી કરતો જ નથી. તેનો ઉદ્યોગ માત્ર ઉત્પન્ન થયેલી પેદાશનું રૂપાંતર કરવાનો ઉદ્યોગ છે. અને ત્યાંને ખેડૂત કેવો પૈસાખોર બની ગયો છે એ તો જુઓ! પિતાનું બધું સારું માખણ તે લંડનનાં બજારોમાં વેચી નાખે છે, અને પોતાનાં છોકરાંને ખવરાવવા માટે સસ્તુ માર્ગરિન અર્થાત્ વનસ્પતિ કે પ્રાણીમાંથી પેદા કરેલી માખણના જેવી દેખાતી ચરબી ખરીદે છે. નફાખોરીની વૃત્તિએ માત્ર તેની ખેતીની પદ્ધતિઓ ઉપર જ આક્રમણ નથી કર્યું, તે વૃત્તિએ તેની જીવન-ફિલસૂફી જ બદલી નાખી છે; અરે, તેના પિતાના તેમજ તેના કુટુંબના આરોગ્યને પણ ખતરામાં મૂકી દીધું છે.
ધ રેપ ઓફ ધ અર્થ” (“ધરતી ઉપર બળાત્કાર') ના લેખકો જણાવે છે કે, ધરતી ઉપરના ફળદ્રુપ તળનું વેવાણ એટલા વેગથી ચાલવા લાગ્યું છે કે, માનવજાતના ભૂતકાળના બધા યુગો દરમ્યાન જેટલું ધોવાણ નહિ થયું હોય તેટલું છેલ્લાં બે દશકામાં થઈ ગયું છે. અને પરિણામ પણ કેવું આવવા લાગ્યું છે? દર વરસે ઢોરને લાગુ થતા અવનવા કારમા રોગો ઉપર સંશોધન-નિબંધો લખાયે જાય છે તથા ખેડૂત અને ઢોર-દાક્તરોની નિંદ હરામ થતી જાય છે.
આ પરિસ્થિતિનો ઉપાય પણ સહેલો છે. આધુનિક સંસ્કૃતિ ઉપર સળંગ નજર નાખીને એક સત્ય આપણે જોઈ લેવું જોઈએ કે, માણસજાતે અત્યારની જે યંત્રોદ્યોગી સંસ્કૃતિ ઊભી કરી છે, તેને પાયો બહુ નબળો છે. ભવિષ્યની પેઢીઓને પણ જે મિલકતમાં હિસ્સો ગણાય એવી જમીનની ફળદ્રુપતાના અનામત ભંડારો ઉપર હાથ નાખીને આપણે આપણો ખોરાક મેળવીએ છીએ, અને તે પણ એવો સત્વહીન થઈ ગયેલો કે તે આપણાં શરીરોને જોઈતું પિષણ કે સંરક્ષણ પૂરું