________________
ધરતી માતા કુદરત, પરંતુ, પિતાનાં સંતાનોને એક-બે વખત ચાનક આપવાનું ચકતી નથી. અંગ્રેજોને પાઠ શીખવવા જ બે વિશ્વયુદ્ધો આવી પડ્યાં, અને તે વખતે સબમરીનોથી ઘેરાયેલા એ ટાપુના લોકોને પોતાને જોઈ અનાજનો પુરવઠો પરદેશથી લાવવાનું શક્ય ન રહેતાં, પોતાના દેશની જમીનના ઇંચે ઈચમાંથી અનાજ અને ખાદ્ય મેળવવાની “યુદ્ધને ધરણે” ઝુંબેશ શરૂ કરવી પડી.
કેટલાંય વર્ષોથી પડતર રહેલી અને ઘાસ-ચારા હેઠળ રહેલી જમીને, હ્યુમસના એકઠા થયેલા ભંડારને કારણે, તે લોકોના પ્રયત્નોને સારી યારી આપી. પરંતુ લડાઈના જમાનામાં ઢોરોની સારી પેઠે કતલ થઇ ગઈ હતી તથા જુવાન સશક્ત માણસને લડાઈના ઉપયોગમાં લઈ લેવામાં આવ્યા હતા, એટલે કેપેસ્ટ કે છાણિયું ખાતર જમીનમાં પાછું વાળ- ૧ વાનું બન્યું નહિ, અને જમીન સદંતર નિચોવાઈને કસ વિનાની થતી ચાલી. અને કસ વિનાની જમીનથી ઉછેરાતા માણસો પણ એવા જ નિર્માલ્ય બની રહ્યા. એ કહેવાની જરૂર નથી.
પરંતુ, યંત્રોદ્યોગી ક્રાંતિની સાથે સાથે, “વૈજ્ઞાનિક' નામને માનવજાતને એક નવો દુશ્મન ઊભો થયો હતો. માણસોની તુરછ નફાખોર આક્રમક વૃત્તિનો સહાયક બની, તેણે ધરતીને જે રંજાડ ઊભો કર્યો – કરાવ્યો, તેની કથની જુદું પ્રકરણ માગી લે છે.