________________
ક
કર્મનાં કાનૂનમાં તમારો
ફાળો શો છે ?
આ વિશ્વમાં આપણું સ્થાન કયાં છે તેની ખબર ન પડે તો આપણી જાત સાથે સંબંધ કેમ બાંધી શકીએ ? લાગણી, અહમ્ નામ, શરીર – દેહભાવમાંથી બંધાયેલ આપણા “હુથી પેલી પાર જોવાની આપણી દૃષ્ટિ વિશાળ બની ન હોય તો આપણા “સ્વ'નો અનુભવ કરવાની નજીક પણ કેમ આવી શકીશું?
ધ્યાનની પ્રક્રિયા દ્વારા આપણા વાસ્તવિક સ્વરની નજીક આવી શકીએ. આ મંજિલ પર પહોંચ્યા પછી જ આપણી અમરતાનું આપણને ભાન થાય છે આ અનુભવના અભાવમાં આપણા જીવનનો કોઈ સંગીન પાયો નંખાતો નથી.
ધ્યાનનું ધ્યેય છે સુખના મૂળ સુધી જવું. જ્યાં ભયને કોઈ અવકાશ નથી, જ્યાં પ્રકાશવંત જીવન જ ઝબકે છે,
ત્યાં આપણી સાથેનો આ રીતે સંબંધ બંધાય. આ અનુભવ દ્વારા આપણને એ સમજાય છે કે “” હતો, હું છું અને “હું” રહેવાનો છું. આ તત્ત્વની સમજણ થયા બાદ જ