SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ પલટાવવાનું છે, જીવનમાં સંયમને રંગ લાવવાનું છેમહાન નેિતા, પયગમ્બર વગેરે થયા છે તે સંયમથી થયા છે. આપણે આપણા આત્માને પરમાત્મા બનાવવાનો છે, પણ આપણે આત્મા પરમાત્મા ક્યારે બને? નિષ્ઠાપૂર્વકને સંયમ આંવે તે ! સ્થિર બને - આજ તે વાત એ છે કે સાંભળવું કેઈને નથીઃ દરેકને પિતાના વિચારો બીજાને ઠસાવવા છે. માટે જ તે આજે અળસિયાની જેમ વાદે વાદ નીકળી પડ્યા છે. વાત ત્યાં સુધી વધી છે કે સામે જે પોતાના વિચારે ઝીલવા-સાંભળવા તૈયાર ન થાય તે હાથ ઉપાડતાં પણ વિચાર ન કરેઃ ધારાશાસ્ત્રી ન્યાયાધીશને પિતાના વિચારો જણાવે પણ કાંઈ સ્ટેજ ઉપર જઈને બેચી પકડીને? પણ હું જાણું છું, કે આજના વાદના હિમાયતીઓના વિચારો સ્થિર નથી. ઊંડા ચિંતનમાંથી પ્રગટેલા નથી. માત્ર પુસ્તક વાંચીને ભાડૂતી ઉછીના લીધેલા જ છે ! અને એ ભાડૂતી વિચારે પરાણે ઠસાવવા પ્રયત્ન થાય છે. પણ તમારા વિચારે જે માલિક અને સુંદર હોય તે જગતના ચેકમાં મૂકે. સુંદર હશે તે એને સ્વીકાર જરૂર થશે. પણ ન સ્વીકાર થાય તે ઉશ્કેરાઈ જવાની કંઈ જરૂર નથી. પણ આ વસ્તુ ક્યારે બને? જે મન પર સંયમ હોય તે, ચિત્તની સ્થિરતા હોય તે. એ વિના એટલી ધીરજ ન આવે અને સાર-અસારને વિચાર પણ ન આવે. કાંટે સ્થિર હોય તે માપ (તેલ) નીકળે, પણ કટ હાલતે ચાલતે ચંચળ હોય તે માપ ન નીકળે. તેમ ચિત્ત સ્થિર હોય તે મહાપુરુષોના વચન સાંભળવામાં રસ અને આસ્વાદ આવે તેની અસર થાય,
SR No.005905
Book TitleSamayno Sandesh
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherZZZ Unknown
Publication Year
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy