________________
આપને દીકરા કેટલા?”
જવાબ મળે : “મને ખબર નથી. કામદારને પૂછો. . પેલે અંગ્રેજ આવીને બેઠો ત્યાં તરત જ નવાબે સામેથી સવાલ કર્યો : “તમારા દેશના રાજા કેટલી બેગમ રાખે છે? . .
નવાબના મનમાં હતું કે જેનાં જનાનખાનાં બેગમોથી ઊભરાતાં હોય તે મોટો રાજા. એટલે એણે આવો પ્રશ્ન પૂછળ્યો.
પેલો દુભાષિયો તે આ સવાલ સાંભળીને ચમક્યો. જે દેશમાં સ્ત્રીઓને પૂરેપૂરી રીતે સન્માનવામાં આવતી હોય, જ્યાં જનાનખાનાનું નામનિશાન ન હોય તે દેશની પાર્લામેન્ટના સભ્યને આવો સવાલ પૂછાય ખરો ? એનું કેટલું ભયાનક અપમાન ગણાય ? કદાચ આ સવાલ સાંભળતાં જ પેલો અંગ્રેજ ઊઠીને ચાલવા માંડે તો?
નવાબ તો પોતાની મૂર્ખાઈ ઉપર મુસ્તાક રહેનારો હતો, એટલે તેને પણ સમજાવી શકાય તેમ ન હતું કે, આવો સવાલ ન પુછાય. હવે શું કરવું? દુભાષિયો આ વાર્તાલાપનું પરિણામ સારું આવે તેવું ઇચ્છતો હતો એટલે વિમાસી રહ્યો. ત્યાં અંગ્રેજે પૂછયું : “શું પૂછે છે તમારા બાદશાહ ?”
દુભાષિયાએ ચટ દઈને કહ્યું: “એ પૂછે છે કે, તમારી વસ્તી કેટલી?”
અંગ્રેજને થયું કે નવાબ બહુ ભલા છે. અમારી પ્રજાનો ખ્યાલ રાખે છે, એટલે ઈગ્લેન્ડની તેમજ લંડનની વસ્તીને વિગતવાર ખ્યાલ આપતાં કહ્યું: “છથી સાત કરોડ જેટલી હશે.”
પેલા દુભાષિયાએ નવાબને કહ્યું : “એ એમ કહે છે કે એમને ત્યાં વીસ બેગમ છે.”
નવાબ તો ફુલાવા માંડ્યો : “વીસ જ? અમારી પાસે તો એસી બેગમે છે, એટલે અમે મોટા. અચ્છા; એમને પૂછે કે છોકરા કેટલા છે?”
દુભાષિયાએ આ સવાલ પેલા અંગ્રેજ પાસે આ રીતે મૂકયો : સાહેબ, એ એમ પૂછે છે કે તમારા રાજ્યની આવક કેટલી ?
અંગ્રેજને વિચાર થયો કે નવાબ સમજદાર લાગે છે. પહેલાં પ્રજાનું પૂછયું અને હવે આવકનું પૂછે છે. એટલે એણે જવાબ આપ્યો :
“ઠીક-ઠીક છે.” દુભાષિયાને નવાબે પૂછયું : “શું કહે છે? એટલે દુભાષિયાએ કહ્યું : “કહે છે, ઍ છોકરા છે.’
નવાબે કહ્યું : “બસ, એટલા જ? આપણે તો ખૂબ છે. આ તે આપણાથી સાવ નાના છે ! અચ્છા, એમને પૂછો કે એમને બેસવા માટે