SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ કે ગંભીરતા કેળ ! જારમાં જઇએ અને નાયલોન, વુલન કે રેશમી કપડાં ખરીદવાની વાત કરીએ, પણ પાસે પૈસા તો માદરપાટ ખરીદવા જેટલા જ હોય ત, ઊંઘી જાતના તાકા કઢાવીને જોઈ શકીએ ખરા, પણ તે ખરીદી ન શકીએ. શાકબકાલું ખરીદવા નીકળેલો માણસ ઝવેરીને ત્યાં જઈને કહે કે, તમારી હીરા-મોતીની પેટીઓ ખેલવા માંડે, અમારે હીરા-મોતી ખરીદવા છે. તો, ઝવેરી પહેલાં તો એના મોઢાને જોશે. પગને જોશે, હાવભાવને જોશે. પછી જ્યાં ખબર પડશે કે ભાઈ, આ તો બકાલું ખરીદનારો છે, તો એ તરત કહેશે: “ભાઈ, આગળ જાવ. અમારી પાસે તમારે લાયક હીરા-મોતી નથી.’ જીવનમાં પણ આવું જ છે. ઘણા માણસો અધ્યાત્મની ઊંચી ઊંચી વાત કરે છે. પણ જીવનમાં ઊંડે ઊતરીને તપાસીશું તે જણાશે કે તેમની પાસે તો સામાન્ય સગુણોની મૂડી પણ નથી હોતી. આવા માણસો સમાજને અને પોતાને બેવડી રીતે છેતરે છે. એમનું જીવન આખરે “ફિયાસ્કો’ બની જાય છે. માનવીને આજે કલ્પનાનું ઉશ્યન બહુ ગમે છે. વાસ્તવિકતાથી એ દૂર ભાગે છે. એટલે જ “ઍટિકેટમાં રહેનાર લાંબે ગાળે દેવાળું કાઢે છે. છે. આજે ધર્મની વાત તો ઠેરઠેર થાય છે, પરંતુ ક્યાંય નક્કર ધર્મ રહ્યો હોય એમ દેખાતું નથી. કારણ, ધર્મનો ફુગાવો ઊભો થયો છે. ને સાચી ધર્મભાવનાને સમજનારો વર્ગ ઓછો થઈ રહ્યો છે. ' આ ધર્મી આત્મા કેવો હોય, એની સગુણ-મૂડી કેવા પ્રકારની હોવી જોઇએ, એ વાત આપણને “ધર્મરત્ન-પ્રકરણ” માં સમજાવવામાં આવી છે. સૌથી પહેલી વાત એમ કહેવાઈ છે કે ધમ આત્મા અક્ષદ્ર હોવો જોઇએ. આ અશુદ્ર એટલે જીવનની ગંભીરતાવાળો. એની પાસે દુનિયાની
SR No.005898
Book TitlePrakashni Kedi
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherPunit Prakashan Mandir
Publication Year1966
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy