________________
જ્ઞાનને જીવનમાં ઉતારવું એ જ સાચી વિદ્યા છે. - લાયબ્રેરીએ કબાટ ભર્યું ને આપણે આપણું મગજ ભર્યું, એ બન્ને સરખાં છે. કારણ કે કબાટ જેમ ચોપડીઓના જ્ઞાનને આચારમાં મૂકતું નથી, તેમ આપણે પણ આપણા મગજમાં ભરેલા જ્ઞાનને આચરણમાં મૂકતા નથી. આવું જ્ઞાન શા ખપનું? એ તો ગધેડા પર ચંદન લાદવા જેવું થયું ! ભાર ઉપાડીને ફરે, પણ એને સુવાસ કે શીતળતા કશુંય ન સ્પર્શે.
- વિદ્યાર્થીઓ માત્ર ભણ્યા જ કરશે, અને પુસ્તકો વાંચ્યા કરશે તેમજ પરીક્ષામાં પાસ થયા કરશે, તો એટલું જ એમના જીવનક્ષેત્ર માટે પૂરતું નથી. વિદ્યાનો હેતુ કેવળ ભણવા માટે, પુસ્તકો વાંચવા માટે, કે પરીક્ષામાં પાસ થઇને ડીગ્રી મેળવવા માટે તો નથી જ. વિદ્યાનો હેતુ તો જીવનને બંધનમાંથી છોડાવવા માટેનો છે.
એટલા માટે તે આપણે ત્યાંને વિદ્યાનો મુદ્રાલેખ 'સા વિદ્યા યા વિમુજ છે. તમારી વિદ્યા જો તમને બંધનમાંથી ન છોડાવે, વાસનામાંથી ન છોડાવે, બદીમાંથી ન છોડાવે, વિલાસ તેમજ વિકારોમાંથી ન છોડાવે તો એ સાચી વિદ્યા નથી. વિદ્યા તો એનું નામ છે કે, જેનાથી વિચાર સુધરે, ઉચ્ચાર સુધરે અને આચાર સુધરે.
ભણેલો માણસ તો એને કહેવાય છે, જેના વિચાર સુંદર હોય, જેના ઉચ્ચાર સુંદર હોય, જેના આચાર સુંદર હોય. બગીચામાં જેમ ફૂલ ખીલે છે તેમ ભણેલા માણસના મગજમાં પણ વિચારોનાં પુષ્પ ખીલવાં જોઇએ. એના મગજમાં ઉકરડો નહિ, બદી નહિ, દુર્ગધ નહિ, પરંતુ સુંદર સુવાસ હોવી જોઈએ. સાચો વિદ્યાર્થી તો એનું નામ કે જેના વિચારોમાં પણ બદી ન હોય. બજારમાંથી ખરીદી લાવેલું કેળું કે જામફળ સડેલું નીકળે તો શું તે તમે ખાઈ જશો?—ના. તો તો તરત જ તમે એને કાપશો, અને એને સડેલ ભાગ ફેંકી દેશો. તો પછી તમારા વિચારોમાં આવેલો સડો કેમ દૂર કરતા નથી? આ પણ એક અજાયબીની વાત છે કે, માણસો સડેલાં ફળને કાપીને ફેકી દે છે, જ્યારે સડેલા વિચારોને તે સંઘરી રાખે છે અને વધારે ને વધારે સડવા દે છે. આજે તે જેનો વિચાર સડેલો હોય છે તે વધારે મલકાય છે કે, હું મારા વિચારોને કેવા ગુપ્ત રાખી શકું છું !
તમારા વિચારો તે એવા હોવા જોઈએ કે, કોઈ પણ જાણે તોય તમને વધે ન હોય. સારું છે કે, આજે માણસના શરીરની જ ફિલ્મ લઇ શકીએ