SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ દેખતે અથડાય એને કેમ દોરી શકાય? કહો, આપ શું કરો છો ?' પ્રોફેસર છું.' ગૌરવપૂર્વક તેમણે કહ્યું. મેં કહ્યું : “પ્રોફેસરના મોઢામાં આ સિગારેટ શોભે ખરી?! તમે જો સિગારેટ પીશો તો પછી વિદ્યાર્થીઓને તમે સંસ્કારધન ક્યાંથી આપશો? આજે તમે સિગારેટ પીતા હશો તો કાલે તમારા વિદ્યાર્થીઓ ચિરુટ પીતા થશે. કારણ કે ચેલો તે ગુરુ કરતાં સવાયો જ હોય ને? !' એ ભાઈ જરા લેભ પામ્યા, અને ચાલ્યા ગયા. પરંતુ મને ઊંડી ગમગીનીમાં મૂકતા ગયા કે, આપણી કહેવાતી કેળવણી આજે ક્યાં જઇ રહી છે! સંસ્કાર આપવાની જવાબદારી જેના શિરે છે તે અધ્યાપક વર્ગમાં જ. જો સંસ્કાર નહિ હોય તો એ વિદ્યાર્થીઓને ક્યાંથી આપશે?* આજે આપણે એવા માણસોની જરૂર છે કે, જેઓ જેટલું જાણતા હોય તેટલું કરવા માટે, અમલમાં મૂકવા માટે સમર્થ હોય. આવા પ્રકારના માણસોથી જ દેશ ઊંચો આવવાનો છે; એકલાં જ્ઞાન કે વાચનથી નહિ આવે. અમદાવાદના એક ભાઈ મારી પાસે આવીને મને કહેવા લાગ્યા : મહારાજ, મેં ખૂબ પુસ્તકો વાંચ્યાં છે. માણેકલાલ જેઠાલાલ (એમ. જે) ની આખી લાયબ્રેરી મેં પૂરી કરી નાખી છે.” આટલી વાત કર્યા પછી એમણે ગજવામાંથી છીંકણીની ડબ્બી કાઢી અને એક સડાકો તાણ્યો. પછી ખિસ્સામાંથી તમાકુભર્યો ગંદો રૂમાલ કાઢયો અને નાક સાફ કર્યું. મને થયું, માણેકલાલ જેઠાલાલની આખી લાયબ્રેરી પૂરી કરી નાખી છે, છતાં તેમનું છીંકણીનું આ વ્યસન કેમ ન છૂટયું ? એટલે તેમને કહ્યું : “તમે તો માણેકલાલ જેઠાલાલની લાયબ્રેરીનાં પુસ્તકો વાંચી આવ્યા છો, તો તમને હું એક વાત પૂછું. કહો, તમે લાયબ્રેરીનું કબાટ તો જોયું છે ને ? એને પાયા કેટલા છે?” એણે કહ્યું : “ચાર.” “એ ચાર પાયાના કબાટમાં જેમ ચેપડા ભર્યા છે તેમ આ બે પગ ઉપર રહેલા મગજમાં પણ તમે ચોપડા ભરી રાખ્યા છે. એટલે વાંચવા છતાં વ્યસન ન છૂટે તો તમારું આ મગજ પણ બે પગવાળું—-બે પાયાવાળું કબાટ જ ગણાયને ? જેમ પેલા કબાટમાં ચોપડીઓ ભરેલી છે તેમ, આ મગજમાં પણ ચેપડીઓ ભરેલી છે. પડી મગજમાં ભરવી એનું નામ વિદ્યા નથી; ચોપડીઓના
SR No.005898
Book TitlePrakashni Kedi
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherPunit Prakashan Mandir
Publication Year1966
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy