________________
થાય છે. તેના ઉત્તરરૂપે બેત્રણ વાત રજુ કરું છું. એક કવિ કહે છે: जानन्ति केचिद् न तु कर्तु मीशा: कतु क्षमा ये न च ते विदन्ति । जानन्ति तत्व प्रजानन्ति कर्तुम् ते केऽपि लेाके विरला भवन्ति ॥
આ શ્લોકમાં કવિ કહે છે કે, ઘણા લોકો જાણકાર હોય છે પણ તે કંઈ કરી શકતા નથી. જ્યારે ઘણા ભાઇઓ કરવા માટે સમર્થ હોય છે; પણ કંઇ જાણતા નથી હોતા. જીવનનું તત્વ જાણે અને તે પ્રમાણે અમલમાં મૂકે તેવા માણસો તો વિશ્વમાં બહુ વિરલ–બહુ થોડા હોય છે.
એક બાજુ આંધળા છે, અને બીજી બાજુ લંગડા છે. જે લોકો અભણ છે તે લોકો અંધ છે, કારણ કે તેમની પાસે જ્ઞાનનાં નેત્ર નથી. જે લોકો જાણકાર –ભણેલા-જ્ઞાનના નેત્રવાળા છે તે લંગડા છે; કારણ કે, અજાણ્યા પ્રમાણે કરી શકતા નથી–આચારમાં મૂકી શકતા નથી.
આજે ગામડાના અભણ અજ્ઞાન માણસો મનમાં કંઇક કરવાની ભાવના લઇને બેઠા છે, પરંતુ શું કરવું અને કયા માર્ગે જવું એની દિશા એમને સૂઝતી નથી. જ્યારે બીજી બાજુ આપણા ભણેલા વર્ગ પાસે અનેક ડિગ્રીઓ છે, વ્યાખ્યાનના મંચ ઉપર બેસીને જીવન જીવવાની રીતની અનેકવિધ સુંદર વાત એ કરી શકે છે, પણ આચારમાં મૂકી શકતો નથી; કારણ કે, આચારમાં એ પંગુ છે. અને એથી જ મોટી મોટી વાતો કરનારો એ વર્ગ પોતાનાં વ્યસનોની, અનાવશ્યક જરૂરિયાતની અને મોજશોખના વિચારોની ચુંગાલમાંથી બહાર નીકળી શકતા નથી. : થોડા દિવસ પહેલાં જ એક બનાવ કહું.
મોઢામાં સિગારેટ રાખીને દમ ખેંચતાં ખેંચતાં એક પ્રોફેસર સામેથી ચાલ્યા આવતા હતા. હું પણ ધીમે ધીમે ચાલ્યો જતો હતો.
પેલા પ્રોફેસર સિગારેટના ટેસ'માં મસ્ત હતા. આથી સામેથી ચાલ્યા આવતા મને તેમણે જોયો નહિ, અને મારી સાથે અથડાઇ પડ્યા.
પછી મને કહ્યું: “સોરી.'
મેં કહ્યું : “કંઈ નહિ. એ તો અજાણમાં અથડાઈ પડાય. એમાં કંઈ વાંધા જેવું નથી. પરંતુ મને તો તમને જોઈને “સૈરી થાય છે.”
એમ કેમ ? ઉત્સુકતાથી તેમણે પૂછયું.
રસ્તા વચ્ચે આંધળા તો અથડાય, પણ જ્યારે છતે ડોળે દેખતા અથડાય ત્યારે વધારે કરુણતા છવાય, આંધળો અથડાય એને તો દેરી શકાય, પરંતુ
-