________________
આત્મસ શેાધન કરીએ.
વિદ્યાર્થી ના પાયામાં આજે જેવિચારો પડેલા હશે તે જ આવતી કાલે પાંગરવાના છે. આ વિચારોનાં બીજ સારાં હશે તે તે બીજ આવતી કાલે વટવૃક્ષ બનશે. એ વૃક્ષ આપણા દેશ, સમાજ તેમજ ધર્મ ને છાયા આપશે. ફળ આપશે અને મધુરાં પરિણામેા આપશે. એટલે આજે હું જે વિચાર આપની સમક્ષ મૂકું છું તે ધ્યાન દઈને તેમજ એકાગ્ર બનીને વાંચજો ને વિચારો કે સાબરમતીના સંતનું લાહીરેડાયું હાવા છતાં, એક મહાપુરુષનુ: બલિદાન દેવાયુ હાવા છતાં પણ, આપણા દેશમાંથી જે બદીએ એછી થવી જોઇએ, જે સંકુચિતતા દૂર થવી જોઇએ, જે અનીતિ અટકી જવી જોઇએ, જે રાગદ્વેષ નિર્મૂળ થવા જોઇએ તે સઘળું અકબંધ રહીને આપણને સૌને કેમ પરેશાન કરી રહ્યું છે.
સમજાતું નથી કે જગત હજી આવાં,કેટલાં બલિદાન માગે છે; અને કેટકેટલાં બિલદાન આપશે ત્યારે આ બદીએ, સંકુચિતતા, અનીતિ અને રાગદ્વે પના વિષવર્તુળમાંથી આપણે બહાર નીકળી શકીશું !
મહાપુરુષનું બલિદાન જો આપણે માટે જીવનપરિવર્તન લાવનારુ પ્રેરક ન બને તો, પછી આપણે આપણી જાતને માનવ તરીકે એળખાવવા માટે લાયક ગણાઈએ ખરા ?
એક-પછી-એક બલિદાન દેવાતાં જાય છે અને છતાં આપણે ‘ ઠેરના ઠેર ’ ઊભા રહીને આનંદ માણ્યા કરીએ છીએ.
જે લોકો મુત્સદ્દી કહેવાતા હોય, જેએ પોતાની જાતને દુનિયાના ‘ડાહ્યા’માં ખપાવતા હાય, જે લોકો મનમાં હસતા હાય ને બહાર રડવાના દેખાવ કરતા હોય તેમની વાતો જવા દો. તેમને મારે કશું કહેવાનું નથી. મારે તે। મારા મનની વાત અહીં કહેવી છે.
વિદ્યાર્થી અવસ્થા નિખાલસતાથી ભરેલી હાય છે. વિદ્યાર્થીના મનમાં દુનિયાની રમતના દાવપેચ હજી આવ્યા નથી. એમણે આજે વિચારવાનું છે કે, આપણા દેશ માટે હવે શું કરવાનું છે.
આજથી આપણે આપણા શુભ માટેનો થોડો પણ સંકલ્પ કરીએ. મનની અંદર જે બદી છે તેને હટાવવા માટે આજે આપણે નિર્ણય કરીએ. આટલુ` નકકી કર્યા પછી, એ સદ્ગુણાને કેળવવા માટે તેમજ દુર્ગં - ણેને દેશનિકાલ કરવા માટે શે। માર્ગ લેવા તે સવાલ આપણી સામે ઊભે